Rajkot, તા.૧
સૌરાષ્ટ્રના પાંચ રાજ્યના ૧૧ મામલતદારોએ નિવૃત્તિ માટે કરેલી અરજીનો સરકારે સ્વીકાર કર્યો છે અને રેવન્યુ વિભાગ દ્વારા આ સંદર્ભે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે આ તમામ ૧૧ મામલતદારોને આજથી સરકારની સેવામાંથી મુક્ત કરવામાં આવે છે.
આજથી સરકારની સેવામાંથી સૌરાષ્ટ્રના જે પાંચ મામલતદારો નિવૃત્ત થયા છે. તેમાં રાજકોટના એસ.આર,ગિણોયા, ગીર સોમનાથ જિલ્લાના તલાલાના બી.એચ.કુબાવત, જામનગર જિલ્લાના કાલાવડના એફ.બી.પુરોહિત જૂનાગઢના પી.ડી.પટેલ અને પોરબંદર કે.વી.નકુમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત દાહોદ જિલ્લાના લીમખેડાના એસ.જી.પટેલ, સિંગડના જી.કે.શાહ, ખેડા જિલલાના ગળતેશ્વરના એમ.એમ.મેઘા, સુરતના એસ.પી.ફાર્મર તાપીના એમ.એ.મનસુરી, વડોદરાના બી.આર.જોશીનો સમાવેશ થાય છે.