યુવતી ને નોકરી આપવાની લાલચ આપી હવસનો શિકાર બનાવી હતી
Rajkot,તા.૫
ઉદયપુર કાઈમબ્રાન્ચમા નોકરી આપવાની લાલચ આપી યુવતી ઉપર દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીને હાઇકોર્ટે જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટમાં આવેલા ગંજીવાડામાં રહેતો આરોપી દેવરાજ વાલજીભાઈ ગોહિલ અને દુષ્કર્મનો ભોગ બનનાર યુવતી અને તેના પીતા આધારકાર્ડ કઢાવવા પોસ્ટ ઓફીસ ગયા હતા. ત્યારે ત્યારે આરોપી દેવરાજ ગોહિલ સાથે પરિચય થયો હતો. દેવરાજ ગોહિલે પોતે ઉદયપુર એ.સી.બી. ક્રાઈમબ્રાન્ચમા નોકરી કરતો હોવાની ઓળખ આપી હતી. અને યુવતીને રાઈટર તરીકે નોકરીમા રેહવુ હોય તો માસિક રૂ.૧૨,૦૦૦ પગાર મળશે તેમજ પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ માસીક રૂ.૩૦થી૪૦ હજાર રૂપીયા પગાર મળશે તેમ જણાવી યુવતીને રાજકોટ અને ઉદયપુર ખાતે બોલાવી અવાર-નવાર શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી વિરૂધ્ધ તપાસના અંતમા તપાસનીસ અધીકારી ધ્વારા ચાર્જશીટ ફાઈલ કરવામા આવતા આરોપીએ રાજકોટ સેશન્સ કોર્ટમા કરેલી જામીન અરજી નામંજૂર થતા ગુજરાત હાઈકોર્ટમા રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને હાઇકોર્ટે આરોપીને શરતોને આધીન જામીન પર મુકત કરવા હુકમ ફરમાવ્યો હતો. બચાવ પક્ષે રાજકોટના યુવા ધારાશાસ્ત્રી સ્તવન જી.મેહતા, નીકુંજ એમ.શુકલ, કીરણસિંહ ચુડાસમા, બ્રિજેશ ચૌહાણ, નીલરાજ રાણા, સત્યજીતસિંહ જાડેજા, શ્યામ ત્રીવેદી, મદદનીશ તરીકે નીશાંત ચાવડા, નીરંજન ભટ્ટી, અભય લખતરીયા, ઋષીત રોહીત અને ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ પ્રતિક જસાણી રોકાયા હતા.