કોપર પ્લાન્ટ, નેશનલ હાઇવે, નર્મદા સીમેન્ટ સહિતના પ્રશ્નો બાબતે આગેવાનોએ કરી રજુઆત,
Rajula,તા.21
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ રાજુલાની મુલાકાતે પધાર્યા હતા. રાજુલા શહેરમાં આવેલ લાયન લોડ્સ હોટેલ ખાતે રાજુલા-જાફરાબાદના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. આ સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે હાકલ કરી હતી. તેમજ રાજુલા-જાફરાબાદના પ્રશ્ર્નો સંદર્ભે ઉગ્ર રજુઆતો કરાઇ હતી. જેમા જયદીપભાઇ ધાખડા તથા ચેતનભાઇ વ્યાસ સહિતના લોકોએ કોપર પ્લાન્ટના નિર્માણ સામે પર્યાવરણ સામે ખતરો હોય બંધ રાખવા રજુઆત કરી હતી. તેમજ બાબરકોટ ગામે ખેડૂતોએ નર્મદા સીમેન્ટ કંપની દ્વારા નવ હજાર વિઘા જમીન એક્વાયર કરી હોય બાબરકોટમા હવે બાજરો વાવવો મુશ્કેલ બન્યો છે તેવી અનકભાઇ સાખટ સરપંચ દ્વારા રજુઆત કરી હતી. અને ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવેની ઓથોરીટી દ્વારા હાઈવેનુ કામ અઘુરૂ હોવા છતા ટોલટેક્ષ લેવામાં આવી રહેલ છે તેની રજુઆત કરી હતી. ઉપરાંત ધાતરવડી ડેમ-૧ માંથી રાજુલા-,જાફરાબાદ શહેરને પાણી આપવાની પાઈપલાઈનનુ કામ બંધ રાખવા માટે દિલિપભાઈ સોજીત્રાએ લેખીતમાં રજુઆત કરી હતી. તેમજ ભરડીયાને કારણે ડેમને નુકશાન થવા હોય તે બાબત સહીત વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. અને તમામ રજૂઆતોને શક્તિસિંહ ગોહિલે સાંભળી અને સરકારમાં રજુઆત કરવાની ખાત્રી આપી હતી. આ બેઠકમા પરેશભાઇ ધાનાણી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, અમરેલી જીલ્લા કોંગ્રેસ અગ્રણી ટીકુભાઇ વરુ, વિરોધ પક્ષના નેતા જે.ડી કાછડ, રાજુલા શહેર પ્રમુખ રવિરાજભાઇ ધાખડા, નાયાભાઇ ગુર્જર, જોરુભાઇ ધાખડા, મુસ્તાકભાઇ ગાહા તેમજ કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પધારેલા તમામ લોકોને ટીકુભાઇ વરૂએ આભાર વ્યક્ત કર્યો હતો