Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર
    • Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase
    • Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી
    • Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
    • WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે
    • ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ
    • એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા
    • Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Ramakrishna Paramahans બતાવ્યો મુક્તિનો સરળ માર્ગ
    ધાર્મિક

    Ramakrishna Paramahans બતાવ્યો મુક્તિનો સરળ માર્ગ

    Vikram RavalBy Vikram RavalNovember 7, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મોક્ષદ્વારે દ્વારપાલાશ્ચત્વાર: પરિકીર્તિતા:

    શમો વિચાર: સંતોષશ્ચતુર્થ: સાધુ સગમઃ ।

    એતે સેવ્યા: પ્રયત્નેન ચત્વારૌ દ્વૌ ત્રયોઢથવા

    દ્વાર મુદ્ઘાટયન્ત્યેતે મોક્ષરાજગૃહે તથા ।।

    એ મુક્તિના દ્વાર પર નિવાસ કરનારા ચાર દ્વારપાળો દર્શાવવામાં આવે છે. જેમનાં નામ છે – શમ (મનની આંતરિક શાંતિ), વિચાર, સંતોષ અને સત્સંગ. મનુષ્યે આ ચારેયનું પ્રયત્નપૂર્વક સેવન કરવું જોઈએ કેમ કે તેમનું યોગ્ય રીતે સેવન કરાય ત્યારે તે મુક્તિ (મોક્ષ) રૂપી રાજમહેલનાં દ્વાર ખોલી નાંખે છે.’

    – યોગવાસિષ્ઠ રામાયણ

    એકવાર રામકૃષ્ણ પરમહંસ એમના શિષ્યો સાથે વિહરતા વિહરતા નદીના તટ પર આવ્યા – ત્યાં માછીમારો જાળ ફેંકી માછલીઓ પકડી રહ્યા હતાં. એક માછીમાર પાસે રામકૃષ્ણ ઊભા રહી ગયા અને શિષ્યોને કહેવા લાગ્યા – ‘આ માછલીઓ શું કરી રહી છે તેને ધ્યાનથી જુઓ તેમણે થોડીવાર ધ્યાનથી એમનું નિરીક્ષણ કર્યું. તેમણે જોયું તો કેટલીક માછલીઓ એવી હતી જે જાળમાંથી નીકળવાનો પ્રયત્ન કરતી હતી પણ નીકળી શકતી નહોતી. કેટલીક માછલીઓ એવી હતી જે કંઈ જ કર્યા વિના પાણીમાં પડી રહી હતી. કેટલીક માછલીઓ એવી હતી જે જાળમાંથી બહાર નીકળીને પાણીમાં ક્રીડા કરવા લાગી હતી.’

    આનો અર્થ સમજાવતાં રામકૃષ્ણ પરમહંસે કહ્યું – જેમ તમે જોયુેં કે માછલીઓ ત્રણ પ્રકારની છે. તેમ મનુષ્યો પણ ત્રણ પ્રકારના હોય છે. એક એવા પ્રકારના હોય છે જેમના આત્માએ બંધન સ્વીકારી લીધું છે અને ભવ (સંસાર) રૂપી જાળમાં પડી જ રહે છે. તેમાંથી બહાર નીકળવાનો કોઈ પ્રયત્ન જ કરતા નથી. બીજા એવા પ્રકારના છે જે મુક્તિનો પ્રયત્ન તો કરે છે પણ તેમાં સફળ થઈ શકતા નથી. ત્રીજા એવા પ્રકારના છે જે ભારે પ્રયત્ન કરી છેવટે મુક્તિ પ્રાપ્ત કરી જ લે છે. તે ભવની જાળમાંથી બહાર આવી મુક્તિનો આનંદ માણતા હોય છે. રામકૃષ્ણ પરમહંસની આ વાત સાંભળી એમના એક શિષ્યે કહ્યું – ‘ગુરુદેવ, એક ચોથા વર્ગના લોકો પણ હોય છે જેમના વિશે તમે જણાવ્યું જ નહીં!’ રામકૃષ્ણ પરમહંસે કહ્યુ – ‘હા વત્સ, તારી વાત બિલકુલ સાચી છે. ચોથા પ્રકારની માછલીઓ જેવા બહુ થોડા લોકો પણ છે તો ખરા જ, જે જાળની પાસે આવતા જ નથી, તેથી તેમાં કદી ફસાતા નથી !’

    જીવનમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ વિના કૃતાર્થતા અનુભવવી અસંભવ છે. જ્ઞાન આત્મબોધ આપી યથાર્થ દર્શન કરાવે છે. વૈરાગ્ય નિરથર્ક, નકામું હોય તેની નિવૃત્તિ કરાવે છે. ભક્તિ સારભૂત સત્ય સ્વરૂપ ઈશ્વરના સુંદર, મધુર સાકાર રૂપનો સંબંધ કરાવે છે. જ્ઞાની જેમ જેમ સમજતો જાય છે તેમ તેમ તેને ખ્યાલ આવે છે કે ઈશ્વરને સમજવા શક્ય નથી. એનો મહિમા અપાર, અનંત છે. તે અગમ અગોચર તત્વ છે. તેને ગ્રહણ કરવા બુદ્ધિ ઓછી પડે, ઈન્દ્રિયો ટૂંકી પડે. કીડી ખાંડની વખારને ખાઈ જવાનો કે ખાલી કરી દેવાનો મનસૂબો રાખે તો કદી પાર ન પડી શકે. જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિમાં પરિણમવા જોઈએ. એટલે જ શાસ્ત્રમાં કહેવાયું છે -‘મોક્ષકારણ સામગ્યાં ભક્તિરેવ ગરીયસિ ા સ્વ સ્વરૂપાનુસંધાનં ભક્તિરિત્યભિધીયતે ાા મોક્ષ પ્રાપ્ત કરવાના સાધનોમાં માત્ર ભક્તિ જ સૌથી ચડિયાતી છે. આત્મ-સ્વરૂપ (સ્વ-સ્વરૂપ)ના અનુસંધાનને જ્ઞાન નિષ્પન્ન ભક્તિ કહેવાય છે.’

    રામકૃષ્ણ ૫રમહંસ કહેતા હતા – ‘જ્યાં સુધી આપણા મનમાં ઈચ્છાઓ રહેશે ત્યાં સુધી આપણને ન તો શાંતિ પ્રાપ્ત થઈ શકે છે કે ન તો ઈશ્વરની ભક્તિ.’ ‘હોડી પાણીમાં જ રહે છે એમ છતાં ક્યારેય હોડીમાં પાણી ના હોવું જોઈએ. બરાબર એ જ રીતે ભક્તિ કરનારા લોકો આ દુનિયામાં રહે છે પણ એમના મનમાં આ દુનિયાની વસ્તુઓ માટે મોહ ના હોવો જોઈએ.’ ‘ભગવાનના અનેક રૂપ છે, અનેક નામ છે, અનેક રીતે એમની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. આપણે એમની પૂજા કયા નામ, રૂપ કે વિધિથી કરીએ છીએ એ વધારે મહત્વપૂર્ણ નથી. મહત્વપૂર્ણ એ છે કે આપણે આપણી અંદર ભગવાનને કેટલા અનુભવ કરીએ છીએ. ‘ જે દ્રઢ વિશ્વાસથી કહે છે અને એવું પ્રતીત કરે છે કે હું બંધાયેલો નથી, મુક્ત છું તે મુક્ત થઈ જાય છે, જે હંમેશા એવું રટણ કર્યા કરે છે અને માની લે છે કે હું બંધાયેલો છું તે તેવો જ રહી જાય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    વૈરાગ્યમાં સુખ છે ૫રંતુ મુક્તિ તો બ્રહ્મજ્ઞાનથી જ સંભવ છે

    June 16, 2025
    ધાર્મિક

    ઉત્તમ સત્સંગ મળે છતાં દુષ્ટ પોતાનો સ્વભાવ છોડતો નથી

    June 16, 2025
    ધાર્મિક

    સંત અને ધર્મનિરપેક્ષ ધર્મસુધારક કબીરદાસની આજે જન્મ જયંતી

    June 10, 2025
    જામનગર

    Jamnagar: સનાતન સંસ્ક્રુતિમાં જેઠ પૂર્ણિમા પર વડપૂજનની સદીઓ જૂની પરંપરા

    June 10, 2025
    ધાર્મિક

    પારકી સ્ત્રીના મોહથી બચવાનો ઉપાય

    June 9, 2025
    લેખ

    ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે

    June 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.