Mumbai,તા.01
કરીના કપૂર ખાને ખુલાસો કર્યો કે લગ્ન પછી ઘણા વર્ષો સુધી અલગ રહ્યા પછી, માતા-પિતા રણધીર કપૂર અને બબીતાએ કેવી રીતે સાથે રહેવાનું નક્કી કર્યું. રણધીર કપૂરે અભિનેત્રી બબીતા કપૂર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ પરસ્પર મતભેદોને કારણે તેઓ 1988 માં અલગ થઈ ગયા.
એવું કહેવાય છે કે કપૂર પરિવાર તેમની પુત્રીઓ કરિશ્મા અને કરીનાને ફિલ્મોમાં કામ કરવાની વિરુદ્ધ હતો, જેના કારણે બબીતા નારાજ હતી. બંનેએ છૂટાછેડા લીધા ન હતા, પરંતુ અલગ રહેવા લાગ્યા હતા. હવે કરીના કપૂરે ખુલાસો કર્યો છે કે તેના માતાપિતાએ બાકીનું જીવન સાથે વિતાવવાનું નક્કી કર્યું છે.
બોલીવુડમાં ઘણાં દંપતીઓ લગ્ન કર્યા હોવા છતાં અલગ-અલગ રહે છે. તેમના છૂટાછેડા નથી થયા, પરંતુ તેઓ વર્ષોથી અલગ રહે છે. આમાં એક નામ કરિશ્મા અને કરીના કપુરનાં માતા-પિતા રણધીર કપુર અને બબીતા કપૂરનું પણ છે.
રણધીર કપૂર અને બબીતા કપૂર 1970માં લગ્નના બંધનમાં બંધાયાં હતાં. લગ્નનાં 17 વર્ષ બાદ 1988માં તેઓ અલગ થઈ ગયાં અને અલગ-અલગ રહેવા લાગ્યાં હતાં, પરંતુ હવે બન્ને પોતાની વૃદ્ધાવસ્થા સાથે વિતાવવા માગે છે.
કરીના કપૂરે હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ’દરેકનાં માતા-પિતા વિશ્વનાં સૌથી સારાં માતા-પિતા હોય છે અને મારાં માતા-પિતા વિશ્વના સૌથી સારાં માતા-પિતા છે. હવે તેમણે નિર્ણય કર્યો છે કે તેઓ પોતાની વૃદ્ધાવસ્થા એકબીજાનો હાથ પકડીને વિતાવવા માગે છે, કારણ કે અહીંથી તેમની યાત્રા શરૂ થઈ હત. અને અહીં તેઓ સાથે છે..
આ કંઈક એવું છે જે કરિશ્મા અને મારા માટે ફુલ સર્કલ બની ગયું છે, જે સંપૂર્ણપણે મેજિકલ છે. મને લાગે છે કે તેઓ બન્ને અદ્ભુત રહ્યાં છે, કારણ કે મારા પિતાએ હંમેશાં મારા જીવનમાં મારે જે પણ કરવું હોય એનું સમર્થન કર્યું છે.