Rajkot, તા.25
રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયાઅને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ એક સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે, રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ એટલું જ વિખ્યાત છે.
જુદાજુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે. એમાં પણ જ્યારે દિવાળી જેવો સૌનો મનપસંદ એવો દિવ્ય તહેવાર આવે ત્યારે રાજકોટની રોનક દીપી ઉઠે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણવધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા તા.27/10/2024 થી તા.31/10/2024 દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે રંગીલુરાજકોટ દિવાળી ઉત્સવનું ભવ્યઆયોજન કરવામાં આવેલ છે.જેમાં, એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા,લેસર શોસહિતના વિશેષ આકર્ષણોનો રહેશે.
રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અનુસંધાને યોજાનાર કાર્યક્રમો અંગે વિસ્તૃત વિગતો આપતા પદાધિકારીઓએ જણાવેલ હતું કે, તા.27/10ના રોજ સાંજે 05:30 વાગ્યે આર.એમ.સી.પ્લોટ, આમ્રપાલી અન્ડરબ્રિજ પાસે, કિશાનપરા ચોક, રેસકોર્ષ ખાતે રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવનોશુભારંભરાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાના હસ્તે થશે.
રેસકોર્સ રિંગ રોડ ફરતે તા.27/10 થી તા.31/10 સુધી આકર્ષક એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે તથા તા.29/10ના રોજ રેસકોર્ષ રિંગ રોડ ખાતે રંગોળી સ્પર્ધા અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે.શહેરીજનો સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી તા.30/10 અને તા.31/10ના રોજ સાંજે નિહાળી શકશે જયારે તા.27/10 થી તા.31/10 દરમ્યાન લેસર શો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
તા.30/10ના રોજ રાત્રે 7 કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે તથા રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો તા.27/10 થી 31/10 દરમ્યાન રાત્રે 12 કલાક સુધી રહેશે.
આ રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ અંતર્ગત આયોજીત વિવિધ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જીલ્લા કલેકટર પ્રભવ જોશી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારીઓ-કર્મચારીઓ તથા ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા અને તેની સમગ્ર ટીમ,જાણીતા લેખક જય વસાવડા, વગેરે ઉપસ્થિત રહેશે.