Rapar,તા.09
રાપર તાલુકાના ગામડાઓમાં પશુઓ ના ખોરાકી ઝેરી અસર ના કારણે ટપોટોપ મોત ના બનાવને લઈને માલધારી વર્ગમાં ભારે ફફડાટ ફેલાયો છે. રાપર અને નંદાસર ,વજ્ર વાણી ,બાદરગઢ ,આણંદપર, નાગપુર, લોદરાણી, જનાણ બામણકા, કલ્યાણ પર, ખંડીર, ગણેશ પર, રતનપર સહિતના ગામમાં પાંચ દિવસથી પશુઓને ભુસુ ખવડાવ્યા બાદ ખોરાકની અસરની ફરિયાદ વચ્ચે 70 થી વધુ પશુઓને અસર થઈ છે અને ૧૬ ગાય, ૪ ભેસો અને પાડા ના મોત થયા છે જ્યારે 70 થી વધુ પશુઓને અસર થઈ હતી તેમાંથી 50 ને બચાવી લેવાયા છે. ભુજ ભચાઉ હાઇવે પર આવેલ વૃંદાવન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દુબઈ માંથી આવેલા ભૂસો ખાવાથી આ ખોરાકની અસર થઈ હોવા નો આક્ષેપ થઈ રહ્યો છે આ પ્રકરણ બહાર આવતા વેટરનરી ઓફિસર દ્વારા ભૂસાના સેમ્પલ અનેમૃત પશુના પોસ્ટમોર્ટમ અને પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે ગૌરક્ષક રાજભા ગઢવી , જગુભા જાડેજા ,બાબુ મહારાજ લાકડીયા દ્વારા આ બનાવમાં તટસ્થ તપાસની માંગ કરી કસુર વારો સામે આકરી કાર્યવાહીની માંગ કરી છે