Gandhinagar,તા.11
કલોલ પાસેના ધેધુ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે રિક્ષા ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રીક્ષા ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું અકસ્માત અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર ગાંધીનગરના ચરેડી છાપચિ માં રહેતો ઈશ્વરભાઈ અરજણજી વણઝારા તેની રિક્ષા લઈને કલોલ તાલુકાના ધેધુ ગામે થી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહને તેની રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઈશ્વરજી વણઝારાને માથાના ભાગે અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને ૧૦૮ ને અકસ્માતની જાણ કરવામાં આવતા ૧૦૮ દોડી આવી હતી અને ઘાયલ રીક્ષા ચાલકને માણસા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મરણ ગયેલ જાહેર કર્યો હતો અકસ્માત અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.