Morbi,તા.15
અમરનગર નજીકથી રીક્ષામાં બેસી દંપતી અને ત્રણ બાળકો જતા હતા ત્યારે અજાણ્યા આઈસર ચાલકે રીક્ષા સાથે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં રીક્ષામાં સવાર પત્નીનું મોત થયું હતું જયારે પતિ અને ત્રણ પુત્રોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે
વાંકાનેરના ઠીકરીયાળા ગામે રહેતા હરેશભાઈ હમીરભાઈ બેડવાએ અજાણ્યા આઈસર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬ ના રોજ ફરિયાદીના ભાઈ જગદીશભાઈ તેની રીક્ષા જીજે ૩૬ યુ ૮૬૫૭ લઈને જતા હતા ત્યારે મોરબી તાલુકાના અમરનગર ગામ નજીક અજાણ્યા આઈસર ચાલકે રિક્ષાને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના ભાઈ જગદીશભાઈ અને ત્રણ દીકરાને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને પગમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી અને શોભાબેન ઉર્ફે સેજલબેન જગદીશભાઈ બેડવાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી આઈસર લઈને નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરાર આઈસર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે