Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોધકથા..સતસંગનો પ્રભાવ
    • અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન
    • મનુષ્યના પતન થવાનું કારણ શું?
    • બિહારમાં બીજા તબક્કામાં ૬૬.૪૦ ટકા મતદાન, છ લોકો બીજાના નામે મતદાન કરતા પકડાયા
    • ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું US માં અવસાન થયું. તે નોકરી શોધી રહી હતી
    • સ્પર્ધક Mridul Tiwari ને મધ્યરાત્રિએ બિગ બોસ ૧૯ માંથી બહાર કાઢવામાં આવ્યો
    • ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા બાદ અર્શદીપ સિંહે ૩ કરોડ ખર્ચીને મર્સિડીઝ કાર ખરીદી
    • તંત્રી લેખ…આતંકનો અવાજ વધી રહ્યો છે, દેશે સતર્ક રહેવું જોઈએ.
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Lok Mela માં રાઈડ્સ માટે માર્ગ ખુલ્યો! SOP માં છુટ્ટછાટ
    રાજકોટ

    Lok Mela માં રાઈડ્સ માટે માર્ગ ખુલ્યો! SOP માં છુટ્ટછાટ

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.18
    રાજકોટ સહિત રાજયભરમાં રાઈડ્સ-ગેમઝોન સંબંધી નિયમોમાં સુધારા-વધારા માટે અંતે રાજયભરના તમામ જીલ્લા કલેકટરો અને પોલીસ કમિશ્નરોને ગૃહ વિભાગ દ્વારા છૂટ્ટ આપી દેવામાં આવી છે. જેના પગલે અંતે લોકમેળાની રાઈડ્સ માટેનો માર્ગ હવે ખુલી જવા પામેલ છે.

    અહીં ઉલ્લેખનીય છે કે, લોકમેળાની રાઈડસની એસઓપીનો વિવાદ છેલ્લા એક વર્ષથી વકર્યો હતો જેના પગલે તેની સામે રાઈડસ સંચાલકોએ લડતના મંડાણ કર્યા હતા. રાજકોટના ભાતીગળ લોકમેળાની રાઈડસના મુદે ગત વર્ષે રાઈડસ સંચાલકોએ હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા.

    ત્યારબાદ ચાલુ વર્ષે પણ લોકમેળા માટે રાઈડસ સંચાલકોએ પ્લોટ માટેના ફોર્મ નહીં ભરી રાઈડસ માટેની એસઓપીમાં છુટછાટ આપવાની માંગણી ઉઠાવી આ પ્રકરણમાં રાજયના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, રાજય સરકારના યાંત્રિક વિભાગના સચીવ તેમજ સાંસદને રજૂઆત કરી હતી.

    જેના પગલે અંતે આજે રાજય સરકારના ગૃહ વિભાગના ઉપ સચીવ શ્રધ્ધા પરમારે લોકમેળા-ગેમઝોન અંગે એસઓપીમાં છુટછાટ આપતો ખાસ પરિપત્ર ઈશ્યુ કરી દીધો છે. જે અંતર્ગત લોકમેળાઓમાં રાઈડસના લાયસન્સ આપવા અંગેના સૂચનો કરવામાં આવેલ છે. એમ્યુઝમેન્ટ રાઈડસ અને ગેમીંગ ઝોન એકટીવીટી સેફટી રૂલ્સ 2024ના સંદર્ભમાં આ સૂચનો કરવામાં આવેલ છે.

    જેમાં હાલના નિયમ મુજબ રાઈડસ માટે લાયસન્સની અરજી કર્યાના 60 દિવસમાં લાયસન્સ આપવાનું રહે છે જો કે તહેવારો દરમ્યાન યોજાતા મેળાના આયોજકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને લોકમેળા- આનંદ મેળાઓના કિસ્સામાં લાયસન્સ આપવાની સમય મર્યાદા ઘટાડીને 30 દિવસની કરવાની ભલામણ કરવામાં આવી છે.

    આ ઉપરાંત સ્થાનિક સરકારી ઈજનેરોની નિમણુંકના મામલે સીટી ડીસ્ટ્રીકટ રાઈડસ સેફટી એન્ડ ઈન્સ્પેકશન કમીટીમાં હાલમાં એકથી વધુ જીલ્લાઓની જવાબદારી સંભાળતા ઈજનેરો નિમાયેલા છે.

    તેના બદલે જે તે જીલ્લા શહેર ખાતે ઉપલબ્ધ વર્ગ-2 કે તેથી ઉપરના સ્થાનિક સરકારી ઈજનેરોને કમીટીમાં સમાવેશ કરવાનું સુચન કરવામાં આવેલ છે. જેનાથી લાયસન્સ પ્રક્રિયા ઝડપી બનશે અને મેળાનું સમયસર આયોજન સુનિશ્ચિત થશે.

    મેળાની રાઈડસ માટે ફાઉન્ડેશનના નિયમમાં આયોજકોએ રાઈડસ માટે જરૂરીયાત મુજબ એન્જીનીયર દ્વારા સૂચવાયલ સોઈલ સ્ટ્રેબીલીટી રીપોર્ટ અને રાઈડસની રોડ બેરીંગની કેપેસીટી ધ્યાનમાં લેવા ફાઉન્ડેશન તૈયાર કરવાની ગાઈડલાઈન આપવામાં આવી છે.

    જેમાં માર્ગ અને મકાન વિભાગના ઈજનેરની તપાસ બાદ જરૂરી સુચના મળે તો તપાસ બાદ ફેરફાર કરવાનો રહેશે અને જો જરૂર ન હોય તો આરસીસી ફાઉન્ડેશનનો આગ્રહ રાખવામાં આવશે નહીં.

    આ ઉપરાંત આ અંગેના લાયસન્સની ગણત્રી આયોજકને ઓપરેશન લાયસન્સ મળ્યા તારીખથી કરવામાં આવશે. જે અરજદારે તેમની અરજીમાં દર્શાવેલ દિવસો મુજબ મહતમ 90 દિવસની મર્યાદામાં રહેશે.

    ગૃહ વિભાગ દ્વારા રાજયના તમામ કલેકટરો અને પોલીસ કમિશ્નરોને એમ્યુઝમેન્ટ રાઈડસ અને ગેમીંગ ઝોન એકટીવીટી સેફટી રૂલ્સ 2024માં આ જાહેર કરાયેલ ગાઈડલાઈન સુધારા વધારા કરતા આદેશ આપતો પરીપત્ર કરી દેવામાં આવેલ છે જેના પગલે એસઓપીમાં છુટછાટ મળતા લોકમેળામાં રાઈડસ માટેનો માર્ગ હવે ખુલ્લો થયેલ છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    બિહારમાં બીજા તબક્કામાં ૬૬.૪૦ ટકા મતદાન, છ લોકો બીજાના નામે મતદાન કરતા પકડાયા

    November 11, 2025
    આંતરરાષ્ટ્રીય

    ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું US માં અવસાન થયું. તે નોકરી શોધી રહી હતી

    November 11, 2025
    આંતરરાષ્ટ્રીય

    Iran અમેરિકા સાથે ’શાંતિપૂર્ણ પરમાણુ કરાર’ ઇચ્છે છે

    November 11, 2025
    મુખ્ય સમાચાર

    Bihar માં અંતિમ તબકકામાં પણ ભારે મતદાન

    November 11, 2025
    રાજકોટ

    Rajkot: પૂર્વ પત્નીએ દુષ્કર્મની ખોટી અરજી કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

    November 11, 2025
    રાજકોટ

    Rajkot: ભગવતીપરામાં જ્યોતિ વાઘેલાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    November 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025

    બિહારમાં બીજા તબક્કામાં ૬૬.૪૦ ટકા મતદાન, છ લોકો બીજાના નામે મતદાન કરતા પકડાયા

    November 11, 2025

    ૨૩ વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું US માં અવસાન થયું. તે નોકરી શોધી રહી હતી

    November 11, 2025

    સ્પર્ધક Mridul Tiwari ને મધ્યરાત્રિએ બિગ બોસ ૧૯ માંથી બહાર કાઢવામાં આવ્યો

    November 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોધકથા..સતસંગનો પ્રભાવ

    November 11, 2025

    અનેકતામાં એકતાનું અનુપમ ઉદાહરણ નિરંકારી સમુહ લગ્ન

    November 11, 2025

    મનુષ્યના પતન થવાનું કારણ શું?

    November 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.