જામજોધપુર ખાતે માઠા પ્રસંગમાં હાજરી આપવા ગયેલ પરિવારના ઘરમાં તસ્કર ટોળકી ત્રાટકી : આજીડેમ પોલીસમાં ગુનો
Rajkot,તા.31
શહેરની ભાગોળે આવેલો ખોખડદડ રોડ પર આવેલા જય અંબે ઓમ રેસિડેન્સીમાં રહેતા અને એકાઉન્ટન્ટનું કામ કરતા યુવાન તેમના પરિવાર સાથે માઠા પ્રસંગે જામજોધપુર ગયા બાદ ત્યાંથી પરત ફર્યા ત્યારે તેમના મકાનમાંથી રોકડ અને દાગીના સહિત 1.97 લાખની ચોરી થયાની જાણ થતા તેમણે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ઘટનામાં મેહુલભાઈ દિનેશભાઈ પંડ્યાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ગંગા ફોર્જીંગ લિમીટેડ, સડક પીપડીયા, ખાતે એકાઉન્ટ તરીકે પ્રા.નોકરી કરુ છું.ગઈ તા.૨૮/૦૫ના રોજ મારા કાકા શૈલેશભાઈ બાબુભાઈ પંડ્યા મોટી ગોપ, જામજોધપુર,જામનગર વાળા મરણ ગયેલ હોય જેથી હુ તથા મારી પત્ની તથા મારી બન્ને દિકરીઓ ગઈ તા.૨૮/૦ ૫ના રોજ સાંજના પોણા ચારેક વાગ્યે ઘરની ડેલીને તથા ઘરના દરવાજાને તાળુ મારી મોટીગોપ ગામે જવા નીકળેલ હતા. ત્યા મારા કાકાના ઘરે એક રાત રોકાયેલ અને બીજા દિવસે સાંજના પોણા પાંચેક વાગ્યે ઘરે આવેલ હતા. ડેલીનુ તાળુ મે ખોલેલ અને અંદર જઈને જોતા ઘરના દરવાજાનું તાળુ તોડેલ હતુ અને હુક ટુટેલ હતો. દરવાજો બંધ હતો જે ખોલીને જોતા અંદર રુમમાં કબાટનો પણ લોક તોડેલ હતો અને તે કબાટમાં રહેલ કપડા વેર-વિખેર પડેલા જોવા મળ્યા હતા.
કબાટની અંદર રોકડા રૂ.50 હજાર રાખેલ હતા અને એક સોનાની હાસડી આસરે એક તોલાની કિ.રૂ.૫૦ હજાર તથા બે સોનાના ચેઈન આસરે બે તોલાના જેની આશરે કિ.રૂ. ૭૦ હજાર તથા બે સોનાના પેંડલ કિ.રુ.૧૦ હજાર, બે સોનાની બુટી આસરે કિ.રૂ. ૧૦૦૦૦, ચાંદીના સાંકળાની એક જોડ આસરે કિ.રૂ.૭૦૦૦ રાખેલ હતુ જે તમામ ઘરેણા મળીને આશરે રૂ.૧,૫૨,૦૦૦ એમ કુલ રૂ.૧,૯૭,૦૦૦ ની મત્તા મળી આવી ન હતી. જે કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ જતા ફરિયાદ નોંધાવી હતી.