Odisha,તા.31
ઓડીસામાં આવકના જાણીતા સ્ત્રોત કરતા વધુ મિલ્કતના કેસમાં અહીના ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય અધિકારી વૈકુઠનાથના નિવાસે પડેલા દરોડામાં રૂા.2 કરોડની રોકડ મળી આવી હતી.
અધિકારી બે દિવસ પછી જ નિવૃત થવાના હતા. તે પુર્વે તેમના નિવાસ અને અન્ય બે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. રાજયના વિજીલન્સ વિભાગે પુરી-કટક સહિતના સ્થળોએ દરોડા પાડયા હતા.
આ અધિકારી સામે આપેલી ફરિયાદ બાદ તમામ શરૂ થઈ હતી. તેમના પુરી સ્થિત ઘરમાંથી રૂા.1.10 કરોડની રોકડ અને ચીનુ ગ્રુપ સ્થિત આવાસમાંથી રૂા.90 લાખની રોકડ મળી હતી. બાદમાં તેના કુટુંબના વ્યવસ્થાના વધુ 7 સ્થળો પર દરોડા પાડયા હતા.
જેમાં 2 ડીએસપી અને ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. વૈકુઠનાથ સારંગીએ તેમના આવાસે દરોડા પડતા જ ઉપરના માળે દોડી જઈને રોકડના બંડલ બહાર ફેકવાનુ શરૂ કર્યુ પણ તેમને ઝડપી લેવાયા હતા. તેમના ઘરેથી અનેક મિલ્કતના દસ્તાવેજો પણ મળ્યા છે.