Uttar Pradesh, તા.8
ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદમાં હરિહર મંદિર હોવા અંગે સર્જાયેલા વિવાદમાં મુસ્લિમ પક્ષે સુપ્રિમ કોર્ટનો એક આદેશ રજુ કરીને હાલ આ વિવાદ પર કોઇ સુનાવણી ન કરી શકાય તેવું જણાવતા હવે વધુ સુનાવણી તા.5 માર્ચ પર મુલત્વી રાખવામાં આવી છે.
આજે સંભલની ટ્રાયલ કોર્ટમાં આ અંગે સુનાવણી હતી પરંતુ હાલમાં સુપ્રિમ કોર્ટે દેશભરમાં ચાલતા આ પ્રકારના મંદિર-મસ્જિદના વિવાદમાં કોઇપણ પ્રકારે અદાલતે હસ્તક્ષેપ નહીં કરે.
જે મામલાઓ દાખલ થયા છે તેના પર પણ સુનાવણી નહીં કરે તેવું જણાવ્યું હતું અને મુસ્લિમ પક્ષે સંભલ અદાલતમાં સુપ્રિમ કોર્ટનો આ આદેશ કરીને સુનાવણી મુલત્વી રાખવા માંગણી કરી હતી જેને સ્વીકારી લેવામાં આવી છે અને હવે સુપ્રિમ કોર્ટના નવા આદેશ સુધી તેમાં સુનાવણી નહીં થાય.