માંડવામાં પશુબલીની કાર્યવાહી કરતા અફડાતફડીઃ હુમલો કરનારાને કાયદાનું ભાન થશે, કડક કાર્યવાહીની માંગ કરતું જાથા
Rajkot,તા.21
રાજકોટની ભાગોળે ગોંડલ ચોકડી પાસે, શિવ હોટલ પાછળની શેરીમાં દેવીપૂજક સમાજના આરાધ્ય દેવ રખાદાદા, મેલડી માતાના ધાર્મિક સ્થાને માંડવામાં ૨૧ પશુબલીમાં ૧૦ બોકળાની પશુબલી થઈ હતી અને બીજા ૧૧ની પશુબલી ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે અટકાવતા ઘર્ષણ ઉભું થયું હતું. ભૂવા સહિત પાંચ સામે વિધિવત ફરિયાદ નોંધવામાં આવી હતી. માનતાના નામે પશુ-પક્ષીની બલિ અટકાવવાની દેશવ્યાપી ઝૂંબેશ ચાલુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આરોપીઓની ધરપકડ અને હુમલો કરનારાની અટકાયત કરવામાં આવી છે.
જાથાના કાર્યાલયે ગત રવિવારે આખો દિવસ ટેલીફાને ઉપર દેવીપૂજકના સમાજ સુધારકે ફાને કરી માહિતી આપી હતી. તેમાં દેવીપૂજક સમાજે ગોંડલ ચોકડીની આગળ ધાર્મિક સ્થાન અને માંડવામાં ૨૧ પશુબલી થવાની છે. આશરે ૧૦૦૦ શ્રદ્ધાળુઓ એકઠા થવાના છે. તે પ્રમાણે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી. માતાજીની મંજૂરી મળે તે બોકળાની બલી ચડાવાના છે. ભૂવા હકુભાઈ સહિતની નામાવલી આપવામાં આવી હતી. આખી રાત ડીજે માંડવો, ધૂણવાનું ડાકલા વગાડવામાં આવશે. સોમવાર પરોઢે સામૂહિક બોકળાનો વધ કરી પ્રસાદ બનાવવામાં આવશે.
જાથા દ્વારા ખરાઈ મરવા મોડી રાતે પ્રવૃત્તિમાં સેવા આપતા સદસ્યા ભાનુબેન ગોહિલ, બે કાર્યકરોને સ્થળ ઉપર મોકલ્યા હતા. સમગ્ર હકીકત સત્ય માલુમ પાડી હતી. જાથાની ટીમ પહોંચતા હાજર પોલીસ સ્ટાફ સાથે પરામર્શ કરી સમાજના આગેવાન ભુવા હકુભાઈ સાથે વાત કરી તેમણે અમો કદી પણ પશુબલી બંધ રાખવાના નથી. અમારી માનતા પ્રમાણે પશુબલી થશે જ તેવો બધાને સંદેશો આપ્યો હતા.
ત્યારબાદ જાથાએ પોલીસ ફરિયાદનું નક્કી કર્યું. જાથાએ ધાર્મિક સ્થાનમાં આટલી ક્રૂરતાપૂર્વકના છરા, ચપ્પા સાધનો બોકળાના ધડ વગેરેથી નારાજગી બતાવી હતી, પરંતુ ભુવાએ મચક આપી ન હતી. પોલીસ કર્મચારીઓ કાયદાની વાત કરી હતી પરંતુ કાને ધરી ન હતી. જાથાની હાજરીમાં કશું જ ઘર્ષણ કે બોલાચાલી સુદ્ધા થઈ ન હતી. સમાજ આખો નિહાળતો હતો. કોઈએ હિંમત કરી ન હતી. ત્યાંથી પોલીસ ફરિયાદ કરવા જાથાની ટીમ ક્ષેમકુશળ નીકળીને પો. સ્ટે.એ પહોંચી હતી, જ્યાં મહિલા સદસ્યાની ફરિયાદ લેવાનું નક્કી થયું હતું.
જાથાના સદસ્યા ભાનુબેન એમ. ગોહિલે પો. ફરિયાદમાં ભુવા હકુ મેઘજી વાળા, મુળજી વીરજી સાઢમીયા, રોહિત ભરત સોવેશિયા, પ્રતાપ કનુ સોલંકી, અરવિંદ મુકેશ સોલંકી સામે વિવિધ કલમો હેઠળ ૬ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ છએ શખ્સોની પોલીસે અટકાયતી પગલા લઈ ધરપકડની કાર્યવાહી કરી હતી.
જાથાના પ્રયાસથી ૧૧ બોકળાની પશુબલી અટકી હતી. જાથાના કાર્યકરોને પ્રારંભે તે સ્થળે જવા દીધા ન હતા. જે ૧૦ બોકળાની પશુબલી થઈ હતી તેની ક્રૂરતાપૂર્વક માનતાના નામે બલી ચડાવાઈ હતી. માતાજી કદી પણ જીવ હિંસામાં માનતા નથી. માતાજી તો સદૈવ જીવન બક્ષે છે. રાજ્યમાં પશુબલીની માહિતી પુરાવા સાથે આપવા મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.