તા.30
પૃથ્વીના 71 ટકા હિસ્સામાં સમુદ્ર ફેલાયેલો છે અને માત્ર 29 ટકા હિસ્સો જમીનનો બનેલો છે. હવે પૃથ્વીના 71 ટકા હિસ્સામાં ફેલાયેલાં સમુદ્રનો રંગ છેલ્લા બે દશકામાં 21 ટકા કાળો પડી ગયો હોવાનું જાણી વિજ્ઞાનીઓ ચિંતામાં પડ્યા છે. સમુદ્ર કાળો પડવાને કારણે તેના તાપમાનમાં ફેરફાર થતાં તેને કારણે જમીનનું હવામાન પણ ખોરવાઈ શકે છે. સમુદ્રના ઉપરના સ્તરમાં થતાં પરિવર્તનને કારણે સૂર્યનો પ્રકાશ ઉંડે સુધી નપહોંચવાને કારણે સમુદ્ર કાળો પડવાની પ્રક્રિયા શરૂ થાય છે.
ફોટિક ઝોન સંકોચાવાથી સમુદ્રના જીવ વૈવિધ્ય પર જોખમ સર્જાય છે. તેને કારણે જલવાયુને નિયંત્રિત કરવાની અને ઓક્સિજનનું ઉત્પાદન કરવાની મહાસાગરોની ક્ષમતા પણ નબળી પડે છે. જેને કારણે હવામાન પર તેની વિપરીત અસર થઈ શકે છે. સમુદ્ર કાળો પડવાથી પાણીની પારદર્શિતા ઓછી થઈ જાય છે. જેને કારણે ૫ સૂર્યપ્રકાશની સમુદ્રમાં પ્રવેશવાની સીમા સિમિત થઈ જાય છે. સમુદ્રના પ્રકાશક્ષેત્રમાં પ્રકાશ સંશ્લેષણ થવાથી ફૂડ ચેઇનની શરૂઆત થાય છે. હવે આ પ્રકાશક્ષેત્ર સંકોચાઈ રહ્યું છે.
સમુદ્ર કાળો પડવાના અનેક કારણો છે. જેમાં સમુદ્ર ગરમ થવાથી શેવાળોનો વધારે પડતો વિકાસ થવો, સમુદ્રના તળિયા અને સપાટી પરના તાપમાનમાં ફેરફાર અને સમુદ્રમાં વધારે કચરો જમા થવાનો સમાવેશ થાય છે. ગ્લોબલ ચેન્જ બાયોલોજીમાં પ્રકાશિત અભ્યાસમાં જણાયું છે કે મહાસાગરનો નવ ટકાથી વધારેહિસ્સો એટલે કે આફ્રિકા ખંડ જેટલો હિસ્સો કાળો પડી ગયો છે. આ વિસ્તારના પ્રકાશક્ષેત્રમાં 50 મીટરનો ઘટાડો થયો હોવાનું જણાયું છે. પ્લેમાઉથ યુનિવર્સિટીના સમુદ્ર સંરક્ષણ વિષયના એસોસિએટ પ્રોફેસર ડો. થોમસ ડેવિસે જણાવ્યું હતું કે અમારા અભ્યાસમાં સમુદ્રની સપાટી કાળી પડી રહી હોવાનું જણાયું છે જે પુરાવો છે કે આવા પરિવર્તનને કારણે સમુદ્રમાં મોટાપાયે અંધકાર છવાય છે. જે સમુદ્રજીવો તેમના અસ્તિત્વ અને પ્રજનન માટે સૂર્ય અને ચન્દ્ર પર નિર્ભર છે તેમની હાલત આ ફેરફારને કારણે કફોડી થઈ છે.
અમેરિકાની પ્લેમાઉથ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કરેલાં સંશોધન અનુસાર છેલ્લા બે દાયકામાં દુનિયાના મહાસાગરોનો 21 ટકા હિસ્સો કાળો પડી ગયો છે. સમુદ્રના ઉપરના સ્તર જેને ફોટિક ઝોન કહેવામાં