New Delhi તા.5
બજાર નિયામક સેબીએ ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડ ખાતા સહીત અન્ય શેર મામલામાં નામાંકન (નોમીની) સાથે જોડાયેલા નવા નિયમ સૂચિત કર્યા છે.જે અંતર્ગત હવે રોકાણકારોના અસમર્થ કે સક્ષમ રહેવા પર તેના તરફથી નોમીની વ્યકિત નાણાંકીય નિર્ણય લઈ શકશે. તેને ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડ ખાતાને સંચાલીત કરવાનાં પૂરો અધિકાર મળી જશે.
સેબીએ તેના માટે ડિપોઝીટરી ફંડ એન્ડ પાર્ટીસીપેન્સ નિયમોમાં સંશોધન કર્યું છે. તેમાં એવી વ્યવસ્થા કરાઈ છે કે જો રોકાણકાર કે શેરધારક અથવા સંપતિ માલીક નિર્ણય લેવામાં અક્ષમ થઈ જાય છે તો તેની જગ્યાએ નોમીની નિર્ણય લઈ શકે છે.
તેના માટે કેટલીક સુરક્ષા શરતો પણ નકકી કરવામાં આવી છે.આ સિવાય નામાંકીત વ્યકિતઓને સંપતિ હસ્તાંતરીત કરવાની પ્રક્રિયાને પણ સરળ કરવામાં આવી છે.જેથી ઓછામાં ઓછી કાગળની કાર્યવાહી થાય.
આ વિકલ્પ મળશે
દરેક શેરધારક કે રોકાણકારને લાભાર્થી તરીકે એક વ્યકિતને નોમીનેટ કરવો ફરજીયાત રહેશે. જેથી તેના મૃત્યુ બાદ તેના શેર હસ્તાંતરીત કરવામાં આવે. જો એકથી વધુ નોમીની છે તો રોકાણકાર કોઈ એક વ્યકિતને તેના તરફથી લેવડ-દેવડ માટે અધિકૃત કરી શકે છે.
સુરક્ષાનાં ઉપાય પણ કરવામાં આવ્યા
જયારે પણ કોઈ રોકાણ નોમીની વ્યકિતઓને જ હસ્તાંતરીત કરવામાં આવે તો તે રોકાણકારનાં કાનુની ઉતરાધિકારીઓ માટે ટ્રસ્ટી તરીકે કામ કરશે નોમીની વ્યકિતઓએ પાન, પાસપોર્ટ, નંબર કે આધાર જેવા દસ્તાવેજ દેવા પડશે.