Mumbai,તા.૧૨
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો બહાર આવ્યા બાદ ઈન્ડસ્ટ્રી અને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પોલીસે આ મામલે તરત જ કાર્યવાહી કરી અને છત્તીસગઢના રાયપુરથી આજે મંગળવારે સવારે કથિત રીતે એક વ્યક્તિ ફૈઝાન ખાનની તેના ઘરેથી ધરપકડ કરી છે. ફૈઝાનની ધરપકડ કરવા માટે વહેલી સવારે મુંબઈ પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને રાયપુર પહોંચી હતી. ફૈઝાનને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ફૈઝાને કહ્યું હતું કે, તે બાંદ્રા પોલીસમાં નિવેદન નોંધવા માટે ૧૪ નવેમ્બરે મુંબઈ આવશે. જો કે, તેના પરિચિતોએ જણાવ્યું હતું કે, તેને છેલ્લા બે દિવસથી ઘણી ધમકીઓ મળી રહી છે, તેથી તેણે મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર લખ્યો હતો કે સુરક્ષાના કારણોસર, તે શારીરિક રીતે નહીં પરંતુ ઓડિયો-વીડિયો માધ્યમ દ્વારા તેની સામે હાજર થવા માંગે છે. આ દરમિયાન ઝ્રજીઁ અજય સિંહ દ્વારા ફૈઝાન ખાનની ધરપકડ કરવામાં આવી છે અને આ માહિતી છત્તીસગઢ પોલીસને આપવામાં આવી છે.
શાહરૂખ ખાનને ધમકી મળ્યા બાદ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસને કોલ ટ્રેસ કર્યા બાદ જાણવા મળ્યું કે કોલ રાયપુરથી કરવામાં આવ્યો હતો. જે નંબર પરથી કોલ કરવામાં આવ્યો હતો તે ફૈઝાન ખાન નામના વ્યક્તિનો હોવાનું બહાર આવ્યું હતું, જેની પોલીસે રાયપુરમાં પૂછપરછ કરી હતી. ફૈઝાને કહ્યું હતું કે, તેનો ફોન ૫ દિવસ પહેલા ૨જી નવેમ્બરે ચોરાઈ ગયો હતો.
૫ નવેમ્બરે બપોરે ૧.૨૧ વાગ્યે બાંદ્રા પોલીસને શાહરૂખ ખાનના નામે ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું કે, ‘શાહરુખ ખાન મન્નત બેન્ડ સ્ટેન્ડનો માલિક છેપ જો તે મને ૫૦ લાખ રૂપિયા નહીં આપે તો હું તેને મારી નાખીશ.’ જ્યારે પોલીસે ફોન કરનારને તેની ઓળખ વિશે પૂછ્યું ત્યારે તેને જવાબ મળ્યો, ‘મારું નામ શું છે તેનાથી કોઈ ફરક પડતો નથીપ જો તમારે લખવું જ હોય તો મારું નામ હિન્દુસ્તાની લખો.’