Mumbai,
ઈન્ડીયા ગોટ લેટન્ટના શોમાં થયેલી ગંદી કોમેન્ટ મુદે દેશભરમાં સર્જાયેલા વિવાદ અને યુટયુબર તથા આ શોના પ્રોડયુસર સમય રૈના માટે પણ ભારત પરત ફરવું મુશ્કેલ સ્થિતિ સર્જાઈ હોવાની સ્થિતિ વચ્ચે હવે વધુ એક સ્ટેન્ડઅય કોમેડિયન કુણાલ કામરા મુશ્કેલીમાં મુકાયા છે.
તેઓએ પોતાના એક શોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ગદાર કહ્યા અને તેનાથી ભડકેલા શિવ સૈનિકોએ આ શોનું જયારે શુટીંગ થયુ હતુ તે મુંબઈની ખાર ખાતેની રીટેલ યુનિકોન્ટીનેટલ ધસી ગયા હતા અને અહી હોટેલમાં વ્યાપક તોડફોડ કરી હતી અને બાદમાં ધમકી આપી હતી કે જો કુણાલ કારમાં જાહેરમાં દેખાશે તો તેનું મોઢુ કાળુ કરી દેવાશે.
તેઓએ સ્ટેન્ડઅય કોમેડીયનને તેના વિધાનો બદલ નાયબ મુખ્યમંત્રી શિંદેની માફી માંગે તેવી પણ માંગણી કરી છે. પોલીસે આ બારામાં શિવસેના શિંદેજૂથના મહામંત્રી રાહુલ કનાલ અને 19 સામે ફરિયાદ નોંધાવી છે તો શિવસેના (શિંદે) જૂથના નેતા ગુરુજી પટેલે પણ કુણાલ કામરા સામે નાયબ મુખ્યમંત્રી સામે અશોભનીય ટીપ્પણીની ફરિયાદ કરી છે.
સ્ટેન્ડમય કામેડીયનને બે દિવસમાં જો શિંદેની માફી માંગે નહી તો તેને મુંબઈમાં જાહેરમાં ફરવું મુશ્કેલ બનશે તેવી ધમકી પણ આપી હતી. આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ આ મુદો ગાજશે તે નિશ્ર્ચિત છે.
પોતાના એક શોમાં સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા દિલ તો પાગલ હૈ ગીતની ટયુન પરના પેરોડી ગીતમાં 2022માં જે રીતે એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો હતો તેનો ઉલ્લેખ કરતા તેને ‘ગદ્દાર’ કહ્યો હતો. શિવસેનાનો આરોપ છે કે એકનાથ શિંદેની ઈમેજ બગાડવાનું જ ષડયંત્ર છે અને સ્ટેન્ડઅપ કામગીરીને સાપની પુછડી પર પગ મુકયો છે.
શિવસેનાના નેતા નરેશ મહાસ્કે એ કામરાને ધમકી આપતો એક વિડીયો વાયરલ કર્યો જેમાં તેને ભારત છોડવાની ફરજ પડાશે ત્યાં સુધી કહ્યું હતું તો શિવસેનાના નેતા સંજય નિરૂપમે હવે કાલે 11 વાગ્યે કુણાલ કામરાની ધોલાઈ કરાશે તેવું જાહેર કરતા તનાવ વધી ગયો હતો.