Jamnagar તા.4
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના મીટિંગ હોલમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પત્રકાર પરિષદમાં ચૂંટણી અધિકારીશ્રીએ મીડિયાના માધ્યમથી લોકોને આ કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી હતી. તેઓએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 તા.07-02-2026 સુધી ચાલશે.
આજથી તા.04-12-2025 સુધી ગણતરીનો સમયગાળો અને તા.04-12-2025સુધીમાં મતદાન મથકોનું રેશનલાઈઝેશન/રી-એરેન્જમેન્ટ. આ દરમિયાન બીએલઓ દ્વારા મતદારોના ઘરે જઈ ફોર્મ આપવામાં આવશે. જે ભરી નાગરિકોએ પરત કરવાના રહેશે.
તા.05-12-2025થી તા.08-12-2025 સુધી કંટ્રોલ ટેબલનું અપડેશન અને મુસદ્દા મતદારયાદીની તૈયારી, તા.09-12-2025ના રોજ મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ, તા.09-12-2025થી તા.08-01-2026 સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો રહેશે.
તા.09-12-2025થી 31-01-2026 સુધીમાં નોટિસ તબક્કો (નોટિસ ઈશ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી); ગણતરી ફોર્મ પર નિર્ણય અને EROs દ્વારા સમકાલીન રીતે હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવશે. અને ત્યારબાદ તા.7-2-2026ના રોજ મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં હાલની સ્થિતિએ કુલ 1242 મતદાનમથકો છે. અને દરેક મથક દીઠ એક બીએલઓની નિમણુક કરવામાં આવી છે. મતદારો પોતાનું અને પોતાના સંબંધીઓનું નામ અગાઉની ખાસ સઘન સુધારણાની મતદારયાદીમાં https://voters.eci.gov.in/ પર ચકાસી શકે છે. જેથી તેઓ ગણતરી ફોર્મમાં વિગતો ભરી શકે. મદદ માટે, મતદારો સંબંધિત ઇકઘનો સંપર્ક કરી શકે છે.
દસ્તાવેજોની યાદીમાં કોઈપણ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/પીએસયુના નિયમિત કર્મચારી/પેન્શનરને જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પેન્શન ચુકવણી ઓર્ડર.
01.07.1987 પહેલા સરકાર/સ્થાનિક અધિકારીઓ/બેંક/પોસ્ટ ઓફિસ/એલઆઈસી/ પીએસયુ દ્વારા ભારતમાં જારી કરાયેલ કોઈપણ ઓળખ કાર્ડ/પ્રમાણપત્ર/દસ્તાવેજ. સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, માન્ય બોર્ડ/યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલ મેટ્રિક્યુલેશન/શૈક્ષણિક પ્રમાણપત્ર, સક્ષમ રાજ્ય અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ કાયમી રહેઠાણ પ્રમાણપત્ર, વન અધિકાર પ્રમાણપત્ર, ઓબીસી/એસસી/એસટી અથવા સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યુ કરેલ કોઈપણ જાતિ પ્રમાણપત્ર, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (National Register of Citizens) (જ્યાં પણ તે અસ્તિત્વમાં હોય), રાજ્ય/સ્થાનિક અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલ કુટુંબ રજિસ્ટર, સરકાર દ્વારા કોઈપણ જમીન/મકાન ફાળવણી પ્રમાણપત્ર, આધાર માટે ભારતના ચૂંટણી પંચના તા.9-9-2025ના પત્ર નં.23/2025-ERS-/VOI.I(Annexure II)થી આપવામાં આવેલા નિર્દેશો લાગુ પડશે.
પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન.ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દીપા કોટક, નાયબ કલેકટર, સ્ટેમ્પ ડ્યુટીશ્રી આદર્શ બસર, પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

