Rajkot,તા.26
રાજકોટ શહેરમાં શ્રાવણ માસના 4 સોમવાર અને જન્માષ્ટમી દિને કતલખાના બંધ રાખવા જાહેરનામુ પ્રસિદ્ધ થયું છે.આગામી તા.28/7/2025, તા.4, તા.11 તથા તા.18ના રોજ શ્રાવણમાસના સોમવાર નિમિતે તથા તા.16/08/2025ના રોજ જન્માષ્ટમી નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
મ્યુ.કમિશનર તુષાર સુમેરાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલનારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી.જી.પી.એમ.સી.એકટ-1949ની કલમ 329 અને 336 તથા વંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવી.