Jamnagarતા. 11
જામનગરના સાત રસ્તા સર્કલ પાસે આવેલી જાડાના બિલ્ડીંગ નજીકથી ગઈકાલે સાંજે એસઓજીની ટીમે ધરારનગર-રમાં રહેતા મૂળ સુરજકરાડીના શખ્સને ૮૦૦ ગ્રામ ગાંજા સાથે પકડી પાડ્યો છે. આ શખ્સ રાજકોટથી તે જથ્થો વેચાણ માટે લાવ્યો હોવાની કબૂલાત કરી છે.
જામનગરના સાત રસ્તા સર્કલ પાસે એક શખ્સ ગાંજાના જથ્થા સાથે આવ્યો હોવાની બાતમી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફ ને મળતાં પીઆઈ બી.એન. ચૌધરીની રાહબરી હેઠળ ની ટુકડીએ એક શખ્સને શકના આધારે રોકીને તલાશી લેતાં હાલ જામનગરના ધરારનગર-રમાં વસવાટ કરતા મૂળ સુરજકરાડીના વતની મુઝફરખાન અનવરખાન પઠાણ નામના શખ્સ પાસેથી ૮૦૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આથી અંદાજે રૂા. આઠેક હજાર ની કિંમતના ગાંજાને કબજે કરી એસઓજીએ આ શખ્સની પૂછપરછ કરતાં તેણે ઉપરોક્ત જથ્થો રાજકોટના એક શખ્સ પાસેથી વેચવા માટે લીધો હોવાની કબૂલાત આપી છે. એસ.ઓ.જી.એ મુઝફરખાનનો મોબાઈલ પણ કબજે કરી લઈ તેની સામે સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો છે.