Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Palestine and Israel બંને સ્વતંત્ર, સુરક્ષિત અને આતંકમુક્ત હોવા જોઈએ: ઈન્ડોનેશિયાના પ્રમુખ

    September 24, 2025

    Ahmedabad: 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રાતે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે

    September 24, 2025

    નિકાસ માંગ નબળી, સપ્ટેમ્બર માસમાં વેપાર પ્રવૃત્તિ મંદ ગતિએ…!!

    September 24, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Palestine and Israel બંને સ્વતંત્ર, સુરક્ષિત અને આતંકમુક્ત હોવા જોઈએ: ઈન્ડોનેશિયાના પ્રમુખ
    • Ahmedabad: 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રાતે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે
    • નિકાસ માંગ નબળી, સપ્ટેમ્બર માસમાં વેપાર પ્રવૃત્તિ મંદ ગતિએ…!!
    • આઈટી કંપનીઓ હવે H-1B વિઝા પર ઓછું નિર્ભર થવા સજ્જ…!!
    • S&Pએ ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ ૬.૫% પર સ્થિર રાખ્યો…!!
    • જીએસટીમાં ઘટાડા બાદ ઓટો વેચાણમાં રેકોર્ડ વૃદ્ધિ…!!
    • આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની સંભાવના : એસબીઆઈ
    • Jamkandorana: ઉકરડો ઉપાડી લેવાની માથાકૂટમાં સરપંચે પ્રૌઢ પર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Somnath Mahadev ના સાનિધ્યમાં ગુજરાત રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો ત્રિ-દિવસીય કાર્યક્રમ સમાપન
    સૌરાષ્ટ્ર

    Somnath Mahadev ના સાનિધ્યમાં ગુજરાત રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો ત્રિ-દિવસીય કાર્યક્રમ સમાપન

    Vikram RavalBy Vikram RavalNovember 23, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Somnath, તા.૨૩

    પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગુજરાત રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો ત્રિ-દિવસીય કાર્યક્રમ સમાપન થવા જઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ દિવસ દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યના વિકાસ માટે અહર્નીશ સક્રિય માનનીય મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, અને ગુજરાત સરકારના શીર્ષ અધિકારીઓ માટે ભક્તિ પૂર્ણ આતિથ્ય અનુભવનું સર્જન કરવામાં આવ્યું હતું.

    તમામ મહાનુભાવો માટે શ્રી સોમનાથ મંદિરમાં યથાયોગ્ય અભિવાદન,દર્શન,જલાભિષેક, અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ચિંતન શિબિરના સમયને અનુરૂપ મહાનુભાવો માટે શ્રી સોમેશ્વર પૂજા માટેના વિશેષ સ્લોટ ગોઠવીને શાસ્ત્રોકત વિધિ-વિધાન સાથે ઉત્તમ પૂજન કરાવવામાં આવ્યું હતું.

    પ્રભાસ તીર્થમાં ચિંતનશિબિરનો પ્રારંભ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અને ગુલાબનો પુષ્પહાર અર્પણ કરીને સોમેશ્વર મહાપૂજન કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જે ડી પરમાર અને સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વાર માનનીય મુખ્યમંત્રીશ્રીનું સન્માન અભિવાદન કરાયું હતું.

    જનસુખાકારી માટે અમૃતમંથન સમાન આ ચિંતન શિબિર કાર્યક્રમ દરમિયાન રાજ્યના માન્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી મુળુભાઈ બેરા, શ્રી કુબેરભાઈ ડીંડોર, શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી કુંવરજીભાઇ બાવળીયા, શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી બચુભાઈ ખાબળ સહિતના મંત્રીશ્રીઓએ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા કરી હતી.

    આ સાથે રાજ્યના વહીવટને સુચારુ રૂપે વહન કરતા અને અમલીકરણને સુગમ બનાવતા રાજ્યના શીર્ષ અધિકારીઓ શ્રી જે.પી ગુપ્તા, શ્રી અશ્વિનીકુમાર, સુશ્રી જયંતિ રવી, શ્રી કે કે નિરાલા, સુશ્રી આરતી ચંદ્રા, શ્રી બંછનિધી પાની, શ્રી રાજકુમાર બેનીવાલ, શ્રી રાહુલ ગુપ્તા, શ્રી અનુપમ આનંદ, શ્રી સંજીવ કુમાર, સુશ્રી આરતી કંવર, સુશ્રી મમતા વર્મા, શ્રી ટી નટરાજન, શ્રી વિનોદ રાવ, સુશ્રી પી.ભારતી સહિતના અધિકારીશ્રીઓએ પણ સોમનાથ દાદાની સોમેશ્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી.

    આ પ્રસંગે મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા કરાયેલ ધ્વજા પૂજામાં તમામ મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉત્સાહભેર જોડાયા હતા. પૂજા કરેલ ધ્વજાજીની ઢોલ શરણાઈના સાદે મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને જે રીતે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રનું અનુસરણ કરીને ગુજરાત રાજ્યને શીર્ષ પર લાવવામાં આવ્યું છે એવી જ રીતે સાથે મળીને મહાનુભવોએ ટ્રસ્ટની સ્વહસ્ત ધ્વજારોહણ સુવિધા નો લાભ લઈને ધ્વજાજીને પોતાના હાથી શિખર સુધી પહોંચાડ્યા હતા. જ્યારે સોમનાથ મહાદેવના નૂતન ધર્મધ્વજનું આરોહણ થયું હતું ત્યારે જય સોમનાથના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું.

    ત્યારે આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમ અને ગૌલોકધામ, શ્રી ભાલકા તીર્થ  ખાતે આવનાર મહાનુભાવો માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી. શ્રી પંકજ જોશી, શ્રી મનોજકુમાર દાસ, શ્રીમતી અવંતિકા સિંઘ, શ્રી રૂપવંતસિંઘ શ્રીજે.પી.ગુપ્તા સહિતના અધિકારીશ્રીઓએ સૂર્યોદય સમયે ગોલોકધામ ખાતે દર્શન અને જલાભિષેક કરેલ. તેમજ સુશ્રી જયંતિ રવી, સુશ્રી આરતી કંવર, સુશ્રી મમતા વર્મા સહિતના મહાનુભવોએ ભાલકાતીર્થ ખાતે શ્રીકૃષ્ણના દર્શન પૂજન કરેલ.

    ત્યારે આ ચિંતનશિબિર વિશેષ એટલા માટે રહી કારણકે ગુજરાત અને ભારતની અસ્મિતા સોમનાથ મંદિરના નિર્માણ સાથે જ સુદ્રઢ બની હતી. નવસર્જન અને ઉત્તરોત્તર વિકાસ સોમનાથની ભૂમિનો પર્યાય છે. સ્વતંત્રતા બાદ સોમનાથનો નિરંતર વિકાસ અને ગુજરાતનો વૈશ્વિક નકશામાં ઉદય એકબીજાને સમાંતર રહ્યા છે. અહીં યોજાયેલ ચિંતન શિબિર ગુજરાતના સર્વાંગી વિકાસને વધુ ઉન્નત અને કલ્યાણકારી બનાવશે તેવી સૌએ શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

    Somnath
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Jamkandorana: ઉકરડો ઉપાડી લેવાની માથાકૂટમાં સરપંચે પ્રૌઢ પર હુમલો

    September 24, 2025
    સૌરાષ્ટ્ર

    Vinchiya: ખેડૂત પરિવાર પર પાઇપ વડે હિંચકારો હુમલો: ચારને ઈજા

    September 24, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: પોલીસે તળાજા માંથી દારૂ તથા બિયરનો રૂ.2.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

    September 24, 2025
    સૌરાષ્ટ્ર

    Chotila ના ધારેંઇ, ભેટસુડા અને આણંદપુર ગામોમાં ઇ-રીક્ષાનું લોકાર્પણ

    September 24, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar પતરાવાળી ચોકમાં અંગ્રેજોના સમયથી પુરૂષોની ગરબી આકર્ષણનું કેન્દ્ર

    September 24, 2025
    સૌરાષ્ટ્ર

    Botad દુષ્કર્મ આચરનાર આરોપીને અગિયાર વર્ષની સજા ફટકારતી કોર્ટ

    September 24, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Palestine and Israel બંને સ્વતંત્ર, સુરક્ષિત અને આતંકમુક્ત હોવા જોઈએ: ઈન્ડોનેશિયાના પ્રમુખ

    September 24, 2025

    Ahmedabad: 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રાતે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે

    September 24, 2025

    નિકાસ માંગ નબળી, સપ્ટેમ્બર માસમાં વેપાર પ્રવૃત્તિ મંદ ગતિએ…!!

    September 24, 2025

    આઈટી કંપનીઓ હવે H-1B વિઝા પર ઓછું નિર્ભર થવા સજ્જ…!!

    September 24, 2025

    S&Pએ ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ ૬.૫% પર સ્થિર રાખ્યો…!!

    September 24, 2025

    જીએસટીમાં ઘટાડા બાદ ઓટો વેચાણમાં રેકોર્ડ વૃદ્ધિ…!!

    September 24, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Palestine and Israel બંને સ્વતંત્ર, સુરક્ષિત અને આતંકમુક્ત હોવા જોઈએ: ઈન્ડોનેશિયાના પ્રમુખ

    September 24, 2025

    Ahmedabad: 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રાતે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે

    September 24, 2025

    નિકાસ માંગ નબળી, સપ્ટેમ્બર માસમાં વેપાર પ્રવૃત્તિ મંદ ગતિએ…!!

    September 24, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.