Prabhas Patan, તા.24
પ્રભાસપાટણ સોમનાથ ખાતે રામમંદિર સામે વર્ષોથી રૂદેશ્ર્વર મંદિરની સેવા પુજા કરતા સાધુ સમાજના 40 જેટલા મકાનો ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવેલ અને તમામ મકાનો ઉપર બુલ ડોઝર ફરી વળ્યા છે. સોમનાથ ટ્રસ્ટ અને આ 40 પરીવારોનું કોર્ટમાં કેચ હાલતો હતો અને કોર્ટના હુકમના આધારે ડિમોલેશ હાથ ધરવામાં આવેલ આ ડિમોલેનશ કોર્ટ કમીશનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે.
આ ડિમોલેશ બાબતે રાત્રે આ તમામને પોતાનો માલ સામાન ખસેડી લેવા ચુસના આપવામાં આવેલ જેના પગલે સવાર ના બાર સુધીમાં મોટા ભાગના મકાનોમાંથી સ્વેચ્છાએ માલ સામાન ખસેડી લેવામાં આવેલ છે. સોમનાથ ટ્રસ્ટ અને દબાણકારો વચ્ચે ધણા સમયથી કોર્ટ મેટર ચાલતી હતી અને કોર્ટ ટ્રસ્ટના ફેવરમાં હુકમ કરતાં આ ડિમોલેશન હાથ ધરવામાં આવેલ.
આ બાબતે પ્રભાસ પાટણ પી આઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ કે એસ પી એસ મનોહર સિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવવામાં આવેલ છે જેમા 1 ડી વાય એસ પી, 3 પી આઈ, 8 પી એસ આઈ,100 થી વધુ પોલીસ જવાનો એલ સી બી અને એસ ઓ જી ની ટીમ સાથે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને સોમનાથ ટ્રસ્ટની ટીમ પણ ધટના સ્થળે હાજર રહેલ.
જે બી મશીનો અને ટ્રેકટરોના કાફલા સાથે ડિમોલેશ હાથ ધરવામાં આવેલ અને પી આઈ પટેલના જણાવ્યા અનુસાર સાજ સુધીમાં ડિમોલેશનની કામગીરી પુર્ણ થશે માત્ર કાટમાળ હટાવવાનો બાકી રહેશે. આ ડિમોલેશન પુર્વ તા 21-3-25 ના રોજ સાધુ સમાજ દ્વારા આ ડિમોલેશ બંધ રાખી અને વૈકલ્પિક જગ્યા ફાળવવામાં કલેકટરને રજુઆત કરવામાં આવેલ જેમાં જણાવવામાં આવેલ કે આ જગ્યા 1935 માં પ્રેમગીત બુધ્ધગીરી દ્વારા મંદિર રીપેરીંગ કરાવેલ અને ત્યાંરથી મંદિરનો કબ્જો તેમના પરિવાર પાસે છે અને સેવા પુજા કરે છે આ ચાલીસ પરીવાર દ્વારા અંદાજીત 200 વર્ષ થી મંદિરની સેવા પુજા કરે છે.
સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ આ મંદિર ની બાજુમાં 200 ની આજુબાજુ પોતાના વડવાઓની સમાધિ સ્થળ આવેલ છે તેમજ બે પ્રાચીન માતાજીના મઢ પણ આવેલ છે અહિં રહેતા મોટા ભાગના પરીવારો પાસે ગાય પણ આવેલ છે આ ગાયો અને વાછરડાને ઢોર પુરવાના ડબ્બા લય જવામાં આવેલ.
આ ગાયોને જ્યારે ખીલેથી છોડવામાં આવેલ ત્યારે તેમની જગ્યાએથી મહામુસીબતે છોડેલ અને પાલતુ કુતરા પણ જગ્યા છોડતા ન હતા ત્યારે પરીવારમાં ભાવુક દ્રશ્યો જોવા મળેલ હતા.