Bengaluruતા.૪
આરસીબી ટીમે આઇપીએલ ૨૦૨૫ જીતી લીધી છે અને આ પછી બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આખી ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું જોકે, આ સન્માન દરમિયાન કંઈક એવું બન્યું જેની કોઈએ અપેક્ષા રાખી ન હતી. ખરેખર ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક ભાગદોડ થઈ અને તેમાં ૧૦ લોકો મૃત્યુ પામ્યા. આ ભાગદોડમાં ૨૦ લોકો ઘાયલ પણ થયા છે. અહેવાલો અનુસાર, ૧૦ લોકોની હાલત ગંભીર છે. ભાગદોડમાં માર્યા ગયેલા લોકોમાં મહિલાઓ પણ શામેલ છે.સુત્રોના જણાવ્યા અનુસાર મૃત્યું આંક વધે તેવી સંભાવના છે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો,આરસીબીની વિજય પરેડમાં સામેલ લોકો ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં હાજર હતા. પોલીસે તેમને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો અને આ પછી ભાગદોડ મચી ગઈ. વિજય પરેડ સાંજે ૫ વાગ્યે શરૂ થવાની હતી પરંતુ તે થઈ શક્યું નહીં.
સુત્રોના જણાવ્યા અનુસાર આઇપીએલ ૨૦૨૫ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ અમદાવાદથી બેંગ્લોર પહોંચી હતી. ચેમ્પિયન ખેલાડીઓનું બેંગ્લોર પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બેંગ્લોર એરપોર્ટથી ટીમ હોટલ અને કર્ણાટક વિધાન સૌધાની બહાર ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે એરપોર્ટ પર આરસીબી ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને આઇપીએલ ૨૦૨૫ માં ઐતિહાસિક વિજય બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે એક સન્માન સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં હજારો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ચાહકો પહોંચ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની વિજય પરેડ દરમિયાન, ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક અચાનક ભાગદોડ મચી ગઈ. આ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા છે. આમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. એવું કહેવામાં આવે છે કે આ અકસ્માત ચિન્નાસ્વામી સ્ટેડિયમના મુખ્ય દરવાજા પાસે થયો હતો.એવું કહેવામાં આવી રહ્યું છે કે હજારો લોકોના આગમનને કારણે, ભીડ અચાનક બેકાબૂ થઈ ગઈ અને પછી હંગામો મચી ગયો. પરિસ્થિતિ ખૂબ જ ખતરનાક બની ગઈ હતી ભાગદોડને કારણે, ઘણા આરસીબી ચાહકો સ્ટેડિયમની બહાર પણ બેહોશ થઈ ગયા. બધા ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે ઘણી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. તે જ સમયે, સ્થળ પર હાજર લોકોએ એકબીજાને મદદ પણ કરી. કેટલાક લોકો ઘાયલોને સીપીઆર આપતા પણ જોવા મળ્યા હતાં
સુત્રોના જણાવ્યા અનુસાર આ નાસભાગ ચિન્નાસ્વામી સ્ટેડિયમના ગેટ નં.૬ની બહાર જોવા મળી હતી.જો કે ચિન્નાસ્વામી સ્ટેડિયમની અંદર આ નાસભાગ કેવી રીતે મચી ગઇ તે સ્પષ્ટ થઇ શકયું નથી વિકટ્રી પરેડને લઇ બેંગ્લુરૂ પોલીસ દ્વારા જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યું હતું તેમ છતાં લોકો પોતાના માનીતા ખેલાડીઓની ઝલક જોવા માટે ઉમટી પડયા હતાં. સ્થિતિ એ હદ સુધી બે કાબુ થઇ ગઇ કે લોકો દિવાલો અને વૃક્ષ પર ચઢીને પોતાના ખેલાડીઓની એક ઝલક જોવા આતુર બન્યા હતાં. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે જણાવ્યું હતું કે મેં પોલીસ કમિશ્નર અને તમામ સાથે વાતચીત કરી છે હું હોસ્પિટલમાં પણ જઇશ હાલ ડોકટરોને પરેશાન કરવા માંગતો નથી કારણ કે તેઓ દર્દીની સારવાર કરી રહ્યાં છે તેમણે કહ્યું કે લોકોએ શાંતિ બનાવી રાખવી જોઇએ આ ધટના બાદ કાર્યક્રમને નાનો કરી દેવામાં આવ્યો હતો અને કાર્યક્રમ ૧૦ મિનિટમાં જ પુરો કરી દેવામાં આવ્યો હતાં સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઇ હતી અને આ દરમિયાન વરસાદ પણ આવ્યો હતાં વરસાદને કારણે કેટલાક લોકો દોડવા લાગ્યા હતાં અને વરસાદ આવ્યો અને થોડીવારમાં જ સ્ટેડિયમના મુખ્ય દરવાજે નાસભાગ મચી ગઇ મોટી સંખ્યામાં પોલીસના જવાનો હોવા છતાં તેઓ ભીડને કાબુ કરવામાં સફળ રહ્યાં ન હતાં
આરસીબીનો વિજય ઉત્સવ શોકમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગે છે. પ્રશ્ન એ છે કે આ નાસભાગનું કારણ શું છે? ભીડ પર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો? આ મોટા અકસ્માત માટે કોણ જવાબદાર છે? આ ચાહકો તેમની ટીમની જીતથી ખૂબ ખુશ હતા. આરસીબીએ પહેલીવાર આઇપીએલ ટાઇટલ જીત્યું. આ જીત પછી, કર્ણાટક સહિત ઘણા શહેરોમાં વિજયની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ હવે આ ટીમની વિજય પરેડ દરમિયાન થયેલા અકસ્માતે આ જીતને ઝાંખી પાડી દીધી છે. બેંગ્લુરૂમાં થયેલી નાસભાગથી થયેલા મૃત્યું બાદ ભાજપે રાજય સરકાર પર ગેરવહિવટનો આરોપ લગાવ્યો છે ભાજપ નેતા અમિત માલવીયે કહ્યું કે ઉજવણીનો ઉત્સવ શોકમાં ફેરવાઇ ગયો આ દુર્ઘટનાને ટાળી શકાઇ હોત પરંતુ રાજય સરકારની માળખાકીય પ્રશાસનિક દુરદર્શિતાની કમી અને ભીડ નિયંત્રણમાં નિષ્ફળતાને કારણે નુકસાન થયું છે આ ઘટનાની જવાબદારી નક્કી કરવી જોઇએ આ બેદરકારીને કારણે થયું છે આ સંજોગથી થયું નથી એ યાદ રહે કે કર્ણાટક સરકારે પહેલા સુરક્ષા કારણોનો હવાલો આપીને વિધાનસભાથી ચેન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમ સુધી વિજય પરેડને રદ કરી દીધી હતી પોલીસે કહ્યું કે મંગળવારની રાતથી જ ઉજવણી કરી રહેલ ભીડને નિયંત્રિત કરવામાં આવી રહી હતી