ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થીના મૃતદેને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે
Surat,તા.૨૦
સુરતમાં જન્મ દિવસના દિવસે જ ધોરણ ૯માં અભ્યાસ કરતો વિદ્યાર્થીનો આપઘાત કર્યો છે. ભેસ્તાન વિજય લક્ષ્મી નગરમાં ૧૬ વર્ષીય આશુતોષ નામના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. પિતા પુત્રનો જન્મદિન મનાવવા દુકાનેથી કેક લઈને ઘરે આવ્યા હતા. પરંતું ઘરમાં પુત્રને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ પિતા ચોંકી ઉઠ્યા હતા. પિતાએ બૂમાબૂમ કરત સ્થાનિકો દોડી આવી આવ્યા હતા. ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થીના મૃતદેને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ વિદ્યાર્થીના આપઘાતનું કારણ બહાર આવશે.
સુરતના ભેસ્તાન વિજય લક્ષ્મી નગરમાં રહેતા મૂળ ઓડિશાના વતની વિનોદ પ્રધાન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની અને બે સંતાન છે. વિનોદના એકના એક દીકરો આશુતોષ હાલમાં ધોરણ-૮ પાસ કરી ધોરણ-૯ માં અભ્યાસ કરી રહ્યો હતો. ગુરુવારનો રોજ આશુતોષનો જન્મદિવસ હતો. જન્મદિવસને લઈ પરિવાર ખુશખુશાલ હતા. આશુતોષને સવારથી જ પરિવાર સહિત તેના મિત્રો જન્મની શુભેચ્છાઓ આપી રહ્યા હતા. સાંજે આશુતોષના પિતા પુત્રના જન્મદિવસ મનાવવા કેક લઈને ઘરે પહોંચ્યા હતા. પુત્રના જન્મના દિવસે જ પિતાએ પોતાના પુત્રને ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા. પિતાએ ગુમાબૂમ કરતા આજુબાજુમાં રહેતા સ્થાનિકો દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ ડીંડોલી પોલીસ તાત્કાલિક સ્થળે આવી પહોંચી હતી. પોલીસે વિદ્યાર્થીના મૃતદેને પીએમ અર્થ હોસ્પિટલ કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાર્થીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે હાલ અકબંધ છે. પોલીસ તપાસ બાદ જ મોતનું કારણ બહાર આવશે. પરંતું એકના એક પુત્ર એ જન્મ દિવસના દિવસે જ આપઘાત કરી લેતા પરિવાર શોકમગ્ન થઈ ગયો છે.