સમગ્ર રાજ્યની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લાની શાળાઓમાં ગત તા.૪મે થી ૩૫ દિવસીય ઉનાળું વેકેશનનો પ્રારંભ થયો હતો. સતત ૩૫ દિવસ સુધી ચાલેલાં ઉનાળું વેકેશન દરમિયાન વિદ્યાર્થી-વાલીઓએ સ્થાનિકથી લઈ વિવિધ ફરવાલાયક સ્થળોની મુલાકાત લઈ વેકેશનની મોજ માણી હતી. તો, આ સમય દરમિયાન શહેર અને જિલ્લામાં વિવિધ શૈક્ષણિક-સામાજિક-સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા અનેકવિધ નવા વિચારો સાથેના સમર કેમ્પ સહિત વિદ્યાર્થીઓમાં રહેલી કલાને મંચ પુરૂં પાડતાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. ૩૫ દિવસીય ઉનાળું વેકેશન આજે પૂર્ણ થતાં આવતીકાલ તા.૯ને સોમવારથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે. આ સાથે જ ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલી સરકારી અને ખાનગી મળી ૧૦૨૦ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજિત ૩.૩૫ લાખ બાળકો તથા ૯ હજાર શિક્ષકો તથા ૪૨૦ જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક (હાઈસ્કૂલ) શાળાઓ તથા તેના ૨૮૦૦ શિક્ષકો શિક્ષણ કાર્યમાં રત જોવા મળશે. જયારે, આગામી તા.૧૮થી શહેર અને જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થશે. જો કે, સોમવારથી શાળાઓ શરૂ થવાની હોવાથી તેની પૂર્વ સંધ્યાએ આજે શહેર અને જિલ્લાના મુખ્ય તાલુકા મથકોએ સવારથી જ વિદ્યાર્થી-વાલીઓની સ્ટેશનરીની દુકાને ભેરે ભીડ જોેવા મળી હતી.
Trending
- Rajkot: અડધા લાખ ગરીબ રેશનકાર્ડ હોલ્ડરો રેશનીંગના પુરવઠાથી વંચિત રહેતા દેકારો
- Lok Mela ના ફોર્મનું વિતરણ શરૂ; પ્રથમ દિ’એ બપોર સુધીમાં એક પણ વેપારી ન ફરકયા
- Narendra Modi 11 વર્ષે પણ અજેય : હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનો ઉદય
- Gujarat High Court ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
- Mumbai માં લોકલ ટ્રેનમાં 5 મોત બાદ તંત્ર સફાળું જાગ્યું, ઓટોમેટિક દરવાજા લગાવવાનો નિર્ણય
- ગુજરાતના 62 જળાશયોમાં 10%થી ઓછું જ જળસ્તર રહ્યું, માત્ર 26માં 50%થી વધુ પાણી
- Ahmedabad: હજુ 10 દિવસ વરસાદની કોઈ સંભાવના નહીં, પારો 42 ડિગ્રી પહોંચે તેવી શક્યતા
- ગુજરાતમાં આજથી તમામ સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત