Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Russia યુક્રેન અને પશ્ચિમી દેશોના પત્રકારોને સલામત માર્ગ પૂરો પાડવા માટે તૈયાર છે

    October 31, 2025

    01 નવેમ્બર નું પંચાંગ

    October 31, 2025

    01 નવેમ્બર નું રાશિફળ

    October 31, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Russia યુક્રેન અને પશ્ચિમી દેશોના પત્રકારોને સલામત માર્ગ પૂરો પાડવા માટે તૈયાર છે
    • 01 નવેમ્બર નું પંચાંગ
    • 01 નવેમ્બર નું રાશિફળ
    • PCBએ ૨૦૨૫-૨૬ ડોમેસ્ટિક સીઝન માટે ૧૫૭ ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપ્યા
    • Smriti Mandhana અને પલાશ મુછલ ટુંક સમયમાં લગ્ન કરશે, લગ્ન ૨૦ નવેમ્બરે થવાની શક્યતા
    • મેચ વિનિંગ ઇનિંગ્સ પછી Jemimah રોડ્રિગ્સ રડી પડી અને પોતાની રણનીતિ જાહેર કરી
    • ભારતીય મહિલા ટીમની બેટ્‌સમેન Jemimah Rodriguesસોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી હતી
    • કરીનાથી લઈને સુનિલ શેટ્ટી સુધી, બધાએ ભારતીય ટીમને મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા બદલ ઉજવણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Supreme Court નો ચુકાદો: વકીલાતની સનદ પેટે રૂ.750ની રકમ જ વસૂલી શકાશે, તેનાથી વઘુ નહીં
    રાષ્ટ્રીય

    Supreme Court નો ચુકાદો: વકીલાતની સનદ પેટે રૂ.750ની રકમ જ વસૂલી શકાશે, તેનાથી વઘુ નહીં

    Vikram RavalBy Vikram RavalJuly 31, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.31 

    સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદા મારફતે ઠરાવ્યું હતું કે, કાયદાશાખાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વકીલાતની સનદ મેળવવા માટેની એનરોલમેન્ટ ફી જનરલ કેટેગરીના વકીલો માટે રૂ.750 અને એસસી-એસટી કેટેગરીના વકીલો માટે રૂ.125થી વઘુ ના હોઇ શકે.

    વકીલાતની સનદ માટે વઘુ રકમ વસૂલી શકશે નહી

    ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની ખંડપીઠે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, હવેથી જે તે સ્ટેટ બાર કાઉન્સીલ વકીલાતની સનદ માટે પરચૂરણ ફી, સ્ટેમ્પ ડયુટી કે અન્ય શુલ્કના શીર્ષક હેઠળ કાયદામાં નિદિષ્ટ રકમ કરતાં કોઇપણ વઘુ રકમ વસૂલી શકશે નહી. સ્ટેટ બાર કાઉન્સીલ કે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા એડવોકેટ્‌સ એકટની કલમ-24(1)(ક) હેઠળ નિર્દિષ્ટ રકમ કરતાં વઘુ રકમના રોલમાં વકીલોને સનદ આપવા માટે કોઇપણ વધારાની રકમ વસૂલી શકતા નથી.

    સંસદે કાયદા થકી ફી નિર્ધારિત કરી છે 

    સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે ઠરાવ્યું કે, એડવોકેટ એકટ-1961ની કલમ-24(1)(ક) અંતર્ગત સ્ટેટ બાર કાઉન્સીલ અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાને ચૂકવવાપાત્ર એનરોલમેન્ટ ફી(નોંધણી ફી) જનરલ કેટેગરીના એડવોકેટ માટે રૂ.750 અને એસસી-એસટી કેટેગરીના વકીલો માટે રૂ.125 નિર્ધારિત કરાયેલી જ છે., તેનાથી વઘુ રકમ એનરોલમેન્ટ ફી પેટે સ્ટેટ બાર કાઉન્સીલ કે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા વસૂલી શકે નહી.

    અમદાવાદના એડવોકેટ પરમ દવે તથા જુદા જુદા રાજયોના વકીલો ગૌરવ શર્મા તથા અન્યો તરફથી કરાયેલી જુદી જુદી રિટ અરજીઓની સુનાવણીના અંતે સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશના વકીલોને અસર થાય તેવો રાહતકર્તા ચુકાદો આપ્યો હતો.

    વિવિધ રાજ્યોમાં સનદ પેટે રૂ. 25થી 40 હજાર સુધીની ફી વસૂલાય છે

    સુપ્રીમ કોર્ટે વઘુમાં જણાવ્યું હતું કે, દેશના જુદા જુદા રાજયોમાં વિવિધ બાર કાઉન્સીલ દ્વારા વકીલો પાસેથી વકીલાતની સનદ પેટે રૂ.25 હજારથી લઇ રૂ.40 હજાર સુધીની મનસ્વી એનરોલમેન્ટ ફી ઉઘરાવાઇ રહી હોવાનું સામે આવ્યું છે. પરંતુ સંસદે એનરોલમેન્ટ ફી એક વખત નિર્ધારિત કરી હોય તેનું જે તે સ્ટેટ બાર કાઉન્સીલ કે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા ઉલ્લંઘન કરી શકે નહી.

    કલમ-24(1)(ક) એક રાજકોષીય નિયમનકારી જોગવાઇ હોવાથી તેનું ચુસ્તપણે અર્થઘટન કરવું જોઇએ અને સંસદે તેની સાર્વભૌમ સત્તાના ઉપયોગ માટે રકમ નિર્ધારિત કરી હોવાથી સ્ટેટ બાર કાઉન્સીલ અથવા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા પ્રતિનિધિ તરીકે કાયદા હેઠળ સંસદ દ્વારા નિર્ધારિત રાજકોષીય નીતિમાં ફેરફાર કરી શકે નહી.

    નવા એનરોલ થનારા વકીલોને બહુ મોટી રાહત

    સુપ્રીમ કોર્ટે ખાસ નોંઘ્યું હતું કે, વકીલાતની સનદ માટે વઘુ પડતી એનરોલમેન્ટ ફી વસૂલવાથી ખાસ કરીને હાંસિયામાં ધકેલાઇ ગયેલા વર્ગના લોકો માટે તેમના વ્યવસાયને આગળ ધપાવવામાં અવરોધ સર્જાય. કાયદામાં નિર્ધારિત રકમ કરતાં કોઇપણ વધારાની વસૂલાત એ બંધારણની કલમ-19(1)(ડી) અને વ્યવસાયિતાના અધિકારના ભંગ સમાન કહી શકાય.

    સુપ્રીમ કોર્ટે આ ચુકાદાથી સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અત્યાર સુધી સ્ટેટ બાર કાઉન્સીલોએ સનદ પેટે વકીલો પાસેથી વૈધાનિક રકમ કરતાં વધુ એકત્ર કરાયેલ નોંધણી ફી પરત કરવાની જરૂર નથી. સ્ટેટ બાર કાઉન્સીલે આ રકમ રિફંડ કરવાની કોઇ જરૂર નથી. પરંતુ હવે નવા વકીલો પાસેથી વકીલાતની સનદ પેટે કાયદામાં નિર્દિષ્ટ ઉપરોકત રકમ જ ઉઘરાવી શકશે.

    આ મામલે દેશની જુદી જુદી હાઇકોર્ટમાં પણ રિટ અરજીઓ થઇ હતી અને બાદમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ તમા મેટરો સુપ્રીમકોર્ટમાં ટ્રાન્સફર કરવા અને સુપ્રીમકોર્ટ જ સાંભળે તે માટેની પિટિશન કરી હતી, જે સુપ્રીમ કોર્ટે સાંભળી લંબાણપૂર્વકની સુનાવણીના અંતે મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો હતો.

    સુપ્રીમકોર્ટના આ ચુકાદાની અસરો શું થશે…?

    સુપ્રીમકોર્ટના આ મહત્ત્વના ચુકાદાની અસરો વિશે પૂછતાં ગુજરાત બાર કાઉન્સીલની ફાયનાન્સ કમીટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટના આ ચુકાદાથી નવા એનરોલ થનારા વકીલોને બહુ મોટી રાહત મળી છે. દેશની કોઇપણ સ્ટેટ બાર કાઉન્સીલ હવે નવા વકીલો પાસેથી વકીલાતની સનદ પેટે માત્ર રૂ.750 જ એનરોલમેન્ટ ફી પેટે ઉઘરાવી શકશે.

    સ્ટેટ બાર કાઉન્સીલની આવક પર આ નિર્ણયની સીધી અસર થશે. જો કે, સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સીલ વકીલો માટે કામ કરતી માતૃ સંસ્થા હોઇ અન્ય શુલ્ક લેવાની સ્વતંત્રતા ધરાવતી હોવાનું સ્પષ્ટ કર્યું છે. પરંતુ એનરોલમેન્ટ ફી પેટે હવે કોઇપણ શીર્ષક હેઠળ વધારાની રકમ વસૂલી શકશે નહી. નોંધપાત્ર બાબત એ છે કે ગુજરાતમાં રૂ.25 હજાર જેટલી ફી વસૂલાય છે.

    INDIA supreme-court. state-bar-councils. enrollment-fees
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    US એ ભારત સાથે કર્યા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર

    October 31, 2025
    રાષ્ટ્રીય

    RSS બધી સમસ્યાઓનું મૂળ છે, તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ : Mallikarjun Kharge

    October 31, 2025
    રાષ્ટ્રીય

    રેકોર્ડ તેજી વચ્ચે ભારતમાં સોનાની માંગ ૨૩% વધી…!!

    October 31, 2025
    રાષ્ટ્રીય

    Cyclone Montha ને કારણે પ. બંગાળ, બિહાર, યુપીમાં ભારે વરસાદની આગાહી

    October 31, 2025
    રાષ્ટ્રીય

    Microsoft CEO Satya Nadella ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે, એઆઈ કોન્ફરન્સમાં હાજરી આપશે

    October 30, 2025
    રાષ્ટ્રીય

    Delhi Police ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના જામીનનો વિરોધ કર્યો,સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું

    October 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Russia યુક્રેન અને પશ્ચિમી દેશોના પત્રકારોને સલામત માર્ગ પૂરો પાડવા માટે તૈયાર છે

    October 31, 2025

    01 નવેમ્બર નું પંચાંગ

    October 31, 2025

    01 નવેમ્બર નું રાશિફળ

    October 31, 2025

    PCBએ ૨૦૨૫-૨૬ ડોમેસ્ટિક સીઝન માટે ૧૫૭ ખેલાડીઓને કોન્ટ્રાક્ટ આપ્યા

    October 31, 2025

    Smriti Mandhana અને પલાશ મુછલ ટુંક સમયમાં લગ્ન કરશે, લગ્ન ૨૦ નવેમ્બરે થવાની શક્યતા

    October 31, 2025

    મેચ વિનિંગ ઇનિંગ્સ પછી Jemimah રોડ્રિગ્સ રડી પડી અને પોતાની રણનીતિ જાહેર કરી

    October 31, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Russia યુક્રેન અને પશ્ચિમી દેશોના પત્રકારોને સલામત માર્ગ પૂરો પાડવા માટે તૈયાર છે

    October 31, 2025

    01 નવેમ્બર નું પંચાંગ

    October 31, 2025

    01 નવેમ્બર નું રાશિફળ

    October 31, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.