Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat નું દેવું 4.90 લાખ કરોડને પાર, તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ

    August 18, 2025

    ચીને Robot Olympics નું આયોજન કર્યું, 16 દેશોએ ભાગ લીધો

    August 18, 2025

    Afghanistan રોકશે પાણી : પાક., ઈરાનની ઉંઘ હરામ

    August 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat નું દેવું 4.90 લાખ કરોડને પાર, તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ
    • ચીને Robot Olympics નું આયોજન કર્યું, 16 દેશોએ ભાગ લીધો
    • Afghanistan રોકશે પાણી : પાક., ઈરાનની ઉંઘ હરામ
    • Ahmedabadના 31 પીઆઇની આંતરિક બદલી, પોલીસ કમિશનર G.S.Malikનો મોટો નિર્ણય
    • ‘vote theft’ મુદ્દે વિપક્ષ સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવે તેવી શક્યતા
    • Hyderabad માં જન્માષ્ટમીની શોભાયાત્રામાં દુર્ઘટના,રથ વીજ તાર સાથે અથડાતા 5 ભક્તોના મોત
    • NDA કે I.N.D.I.A. માંથી કોનું પલડું ભારે? ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી
    • Chhattisgarh માં ભયંકર IED બ્લાસ્ટમાં એક જવાન શહીદ, 3 ઈજાગ્રસ્ત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat માં ગણેશ પંડાલમાં પથ્થરમારાનો મામલો, અત્યાર સુધી 27 આરોપી ઝડપાયા
    સુરત

    Surat માં ગણેશ પંડાલમાં પથ્થરમારાનો મામલો, અત્યાર સુધી 27 આરોપી ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalSeptember 9, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.09

    સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરૂણોના પથ્થરમારાથી તંગદિલી સર્જાઈ હતી. રાત્રે 9 વાગ્યા બાદ 12થી 14 વર્ષના તરુણોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આયોજકોએ 6 સગીરને પકડી પોલીસને સોંપ્યા હતા. તરૂણો સહિત તમામના પિતાને પણ સગરામપુરા પોલીસ લઈ ગઈ હતી. હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. ટોળા વિખેરવા લાઠીચાર્જ કરાયો અને 10થી વધુ ટીયરગેસ છોડાયા હતાં.

    ત્યાર બાદ આ વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. તેમજ કોમ્બિગ શરૂ કરવામાં આવ્યું હતું. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે, પથ્થરમારામાં અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે શાંતિપૂર્ણ માહોલ છે. તેમજ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

    સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ તંત્ર એલર્ટ

    સુરતની ઘટના બાદ રાજ્યનું પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્યના પોલીસ વડા આજે તમામ જિલ્લાના SP, IG તથા પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજશે. તહેવારોના ટાળે રાજ્યમાં કોમી એકતા જળવાય અને અસાજિક તત્વો સામે કડક પગલાં લેવા બાબતે ચર્ચા કરવામાં આવશે. તમામ જિલ્લાઓમાં શાંતિ સમિતિ સાથે બેઠક યોજાશે.

    ગુજરાતમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ચલાવી લેવામાં નહી આવે 

    હર્ષ સંઘવી એક્સ પર લખ્યું ‘સુરત શહેરમાં ગણેશ પંડાલ પર પથ્થરબાજીની ઘટનામાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરમાં સૂર્યોદય પહેલાં જ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવશે. વીડિયો અને ડ્રોન વિઝ્યુઅલની મદદ વડે કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. સીસીટીવી. વીડિયો વિઝ્યુઅલ્સ, ડ્રોન વિઝ્યુઅલ્સ અને અન્ય ટેક્નોલોજીથી નજર રાખવામાં આવી રહી છે.  કોમ્બિંગ હજુ પણ ચાલુ છે. કાયદો અને વ્યવસ્થા તોડવાનો પ્રયત્ન કરનાર કોઇપણ વ્યક્તિને છોડવામાં નહી આવે. તમામ આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમારી ટીમો પથ્થરબાજોની ઓળખ કરવામાં અને તેમને સજા અપાવવામાં આખી રાત કર્યું હતું અને હજુ  પણ ચાલુ છે. મહેરબાની કરીને ખોટા મેસેજથી સાવધાન રહો. હું અને મારી ટીમ ઘટનાસ્થળે હાજર છીએ. મેં ગાંધીનગરના તમામ કાર્યક્રમ રદ કરી નાખ્યા છે આખો દિવસમાં સુરતમાં જ રહીશ. બપોર બાદ પત્રકાર પરિષદ સંબોધી તમામ માહિતી આપીશ.

    સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તૈનાત

    સુરત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.  સ્થિતિ બગડે તે પહેલાં સુરત પોલીસે શહેરના તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. સૈયદપુરા વિસ્તારમાં મોટાપાયે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યા છે. ડ્રોન વડે પોલીસ નજર રાખી રહી છે. કારણ કે કોઇપણ સ્થળે ટોળા ભેગા થાય તો તેને તાત્કાલિક ઝડપી શકાય.

    ત્રણ ગુના નોંધવામાં આવ્યા છે : પોલીસ કમિશનર

    સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. અલગ-અલગ ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં મૂર્તિ પર પથ્થરમારો, બીજા ઘટનાસ્થળ પર પથ્થર મારવાનો અને કતારગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. અમે જલદી શાંતિ સમિતિની બેઠક યોજીશું. જેમાં આ પ્રકારની ઘટના સર્જાઇ હોવાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવશે. જે લોકોને શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને અમે છોડીશું નહી. સીસીટીવી ફૂટેજનું ચેકિંગ ચાલુ છે, જેટલા આરોપીઓ પકડાયા છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આખી રાત ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે, જેમાં ધરકપકડ અને અટકાયતનો દૌર ચાલુ રહેશે.

    Ganesh-Mahotsav police-combing police-convoy Saiyadpura surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: આંગડિયા પેઢી દ્વારા આરટીજીએસના બહાને ૫૧ લાખની છેતરપિંડી કરાઇ

    August 14, 2025
    સુરત

    Surat: નાસ્તાના ખર્ચને લઈને મામા-ફોઈના ભાઈઓ વચ્ચે ખેલાયો લોહિયાળ ખેલ

    August 12, 2025
    ગુજરાત

    Gujarat ભરની જેલોમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી

    August 9, 2025
    સુરત

    Surat માં રિક્ષાની આડમાં લૂંટની ઘટનાઓ, સાતીર ગેંગ પોલીસના સકંજામાં

    August 8, 2025
    સુરત

    Surat માં નકલી મસાલાનો કારસો, એવરેસ્ટ અને મેગી સામે કોર્ટમાં કેસ

    August 6, 2025
    સુરત

    Sumul Dairy માં શાંત થવાનું નામ લેતો નથી વિવાદઃ ચાર ડિરેક્ટરોને ક્રાઇમ બ્રાન્ચે બોલાવ્યા

    August 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gujarat નું દેવું 4.90 લાખ કરોડને પાર, તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ

    August 18, 2025

    ચીને Robot Olympics નું આયોજન કર્યું, 16 દેશોએ ભાગ લીધો

    August 18, 2025

    Afghanistan રોકશે પાણી : પાક., ઈરાનની ઉંઘ હરામ

    August 18, 2025

    Ahmedabadના 31 પીઆઇની આંતરિક બદલી, પોલીસ કમિશનર G.S.Malikનો મોટો નિર્ણય

    August 18, 2025

    ‘vote theft’ મુદ્દે વિપક્ષ સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવે તેવી શક્યતા

    August 18, 2025

    Hyderabad માં જન્માષ્ટમીની શોભાયાત્રામાં દુર્ઘટના,રથ વીજ તાર સાથે અથડાતા 5 ભક્તોના મોત

    August 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat નું દેવું 4.90 લાખ કરોડને પાર, તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ

    August 18, 2025

    ચીને Robot Olympics નું આયોજન કર્યું, 16 દેશોએ ભાગ લીધો

    August 18, 2025

    Afghanistan રોકશે પાણી : પાક., ઈરાનની ઉંઘ હરામ

    August 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.