Surat,તા.24
સુરત પાલિકાનું બજેટ 10 હજાર કરોડ છે તેમાં 4500 કરોડથી વધુનો ખર્ચ વિકાસના કામો પર કરવામા આવી છે. પાલિકાનું અધધ બજેટ છે પરંતુ વિકાસના કામોના આયોજનમાં પાલકા ઘણી વખત થાય ખાઈ જાય છે. તેનું ઉદાહરણ અશ્વનીકુમાર બ્રિજ નીચે પે એન્ડ યુઝ ટોયલેટ છે આ ટોયલેટ 2017માં બનાવ્યું છે પરંતુ હજુ સુધી તેનો ઉપયોગ થતો નથી અને ઉપયોગ ન થતું હોવા છતાં દર વર્ષે રંગ રોગાન કરવામાં આવે છે તેના કારણે આશ્ચર્ય થઈ રહ્યું છે.
સુરત પાલિકાના વરાછા ઝોનમાં કતારગામ અશ્વનીકુમારને જોડતો પ્રમુખ સ્વામી બ્રિજ છે. આ બ્રિજ નીચે 2017 લોકોની જરૂરિયાત માટે પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવામાં આવ્યું હતું. લોકો માટે આ ટોયલેટ બનાવવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી તેને ખુલ્લુ મુકવામાં આવ્યું નથી એટલે લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી. પાલિકાએ લાખો રુપિયા ખર્ચી ટોયલેટ બનાવવામા આવ્યું છે છતાં તેનો ઉપયોગ ન થતા પુર્વ કોર્પોરેરે પાલિકામાં રજૂઆત કરી છે ત્યાં તેમને આશ્ચર્યજનક જવાબ મળ્યો છે. આ અંગે પૂવ કોર્પોરેટર દિનેશ કાછડીયા કહે છે, આ ટોયલેટ 2017માં બનાવ્યું ત્યારબાદ તેને ખુલ્લુ મુકવામાં આવ્યું નથી. પાલિકાએ લોકોની જરૂરિયાત જાણીને ટોયલેટ બનાવ્યું હતું પરંત ટોયલેટ બનાવ્યા બાદ તેને ખુલ્લુ મુકવામાં આવ્યું નથી. પ્રમુખસ્વામી બ્રિજની નીચે જતા રસ્તા પાસે ઉત્કલન નગર રેલવે લાઈન પાસે બનાવેલ આ પે એન્ડ ટોયલેટ ખુલ્લુ મુકવા માટે પાલિકામાં જ્યારે જ્યારે રજુઆત થાય છે ત્યારે ત્યારે આ ટોયલેટ તોડવાનું છે તેવું કહેવામાં આવે છે. પરંતુ આશ્ચર્ય વચ્ચે દર વર્ષે આનું મેન્ટેનન્સ થાય છે કલર કામ પણ નવેસરથી થાય છે જો આ ટોયલેટ તોડવાનું હોય તો પછી આ ખર્ચ કેમ તેનો કોઈ જવાબ આપવામાં આવતો નથી.