Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક સ્તરે ટેરીફ અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડો…!!

    October 13, 2025

    US ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા યુદ્ધ સમાપ્ત થઈ ગયું હોવાની જાહેરાત કરી

    October 13, 2025

    Shubman Gill ટેસ્ટમાં 10મી સદી ફટકારી ઇતિહાસ સર્જ્યો

    October 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક સ્તરે ટેરીફ અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડો…!!
    • US ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા યુદ્ધ સમાપ્ત થઈ ગયું હોવાની જાહેરાત કરી
    • Shubman Gill ટેસ્ટમાં 10મી સદી ફટકારી ઇતિહાસ સર્જ્યો
    • Actress Alia એ ૬ વર્ષની ઉમરે કેમેરાનો સામનો કર્યો
    • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ફરી કમબેક કરશે ‘Sodhi’
    • Bhansali ૧૦૦ કરોડ આપે તો પણ કામ ન કરું : Ismail Darbar
    • Indian stock market માં પ્રત્યાઘાતી ઘટાડે ખરીદી તરફી માહોલ…!!!
    • પોલીસમાં જુદી જુદી ભરતીને બદલે એક સાથે કરવા High Court નું સૂચન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar નું ‘કાળું કચરિયું’ દિલ્હી, મહારાષ્ટ્ર અને બેંગ્લોર સુધી પહોંચ્યું
    સૌરાષ્ટ્ર

    Surendranagar નું ‘કાળું કચરિયું’ દિલ્હી, મહારાષ્ટ્ર અને બેંગ્લોર સુધી પહોંચ્યું

    Vikram RavalBy Vikram RavalJanuary 6, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,તા.06

    શિયાળાની સિઝનમાં શરીરને અનુકૂળ વાનગીઓ સાથે તલ ચીકી અને કચરિયું આરોગવાથી શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને એટલા માટે જ સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની સિઝનમાં હજારો કિલો કચરિયાનું ઉત્પાદન કરી તેનું વેચાણ કરવામાં આવે છે. માત્ર સુરેન્દ્રનગર જિલ્લો જ નહીં આજુબાજુના અન્ય જિલ્લાથી માંડી દેશ વિદેશમાં પણ સુરેન્દ્રનગરનું કચરિયું પ્રખ્યાત બની ગયું છે.

    શિયાળાની શરૂઆત થતાં જ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ કાળજી રાખતા હોય છે અને સ્વાસ્થ્ય સારું બનાવવા આરોગ્યવર્ધક આહાર લેવાનું વધુ પસંદ કરે છે. ત્યારે શિયાળાની સિઝનમાં તલ ચીકી અને કચરિયું લોકો ખાતા હોય છે. કચરિયાનું નામ પડે એટલે સુરેન્દ્રનગરનું નામ આવે. શિયાળા દરમિયાન સુરેન્દ્રનગરમાં ઘરે-ઘરે લોકો રોજ સવારે એક-એક ચમચી કચરિયું ખાતા હોય છે. વઢવાણ, લીંબડી તેમજ સુરેન્દ્રનગર શહેરમાં અનેક ઘાણી આવેલી છે. કેટલાક પરિવાર તો છેલ્લ ત્રણ-ચાર પેઢીેથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. શિયાળાની સિઝનમાં કચરિયાનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. 

    પહેલા કચરિયું તૈયાર કરવા માટે બળદનો ઉપયોગ કરાતો હતો

    વર્ષોે પહેલા કચરિયાના ઉત્પાદન માટે બળદનો ઉપયોગ કરાતો હતો. ખુલ્લામાં બળદને બાંધી ગોળ-ગોળ ફેરવી કચરિયાનું મિશ્રણ કરવામાં આવતું હતું. આ પ્રક્રિયા દરમિયાન તેમાંથી તેલ નિકળતું હતું તેને આજના સમયમાં કોલ્ડપ્રેસ ઓઇલ કહેવામાં આવે છે. જોકે, હવે સમયની સાથે ટેકનોલોજી આવી. બળદનું સ્થાન હવે ઇલેક્ટ્રિક મોટરે લીધું. ખુલ્લામાં બનતું કચરિયું હવે દુકાનમાં જ તૈયાર થઇ રહ્યું છે. શહેરમાં બનતું કચરિયું જાણીતું છે એનું એક કારણ છે કે તે લોકોની નજર સામક્ષ બનાવવામાં આવે છે. કાળા તલ, ગોળ, સુંઠ અને કાજુ બદામ સહીતના ડ્રાયફ્રુટ સાથે ગ્રાહકોની નજર સામે જ કચેરીયું બનાવવામાં આવે છે. જો કોઈ ગ્રાહક ઘરેથી કાળા તલ, કાજુ-બદામ, સુંઠ સહિતની ચીજવસ્તુઓ લઇને આવે તો તેને પણ પીલી કચેરીયું બનાવી આપવામાં આવે છે. 

    ઇ-કોમર્સના કારણે કચરિયું દેશ-વિદેશ પહોંચ્યું

    સુરેન્દ્રનગર જિલ્લાના કાળા તલનું કચરિયુંનો સ્વાદ હવે ગુજરાત પુરતો જ સિમિત રહ્યો નથી. સુરેન્દ્રનગરના કચરિયુંનો સ્વાદ છેક મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ પહોંચ્યો છે. સુરેન્દ્રનગરમાંથી અભ્યાસ અને નોકરી ધંધા અર્થે અન્ય શહેત તેમજ દેશ-વિદેશ સ્થાઇ થયેલા લોકો આજે પણ શિયાળાની સિઝનમાં વતનમાંથી કચેરિયું મંગાવે છે. ટેકનોલોજી અને ઇકોમર્સને પગલે કચરિયું ઓનલાઇન મળતું થયું છે. શહેરના કેટલાક વેપારીઓ દ્વારા ઓનલાઇન ઓર્ડર લઇ દેશ-વિદેશ મોકલી આપવાની સુવિધા પણ આપે છે. મુંબઇ, બેંગ્લોર અને દિલ્હી શહેરમાં કેટલાય સ્ટોરમાં ”સુરેન્દ્રનગરનું પ્રખ્યાત કચરિયું”ના નામે વેપારીઓ કચરિયું વેચતા થયા છે. ત્યાના લોકો પણ હવે કચરિયું ખાતા થયાં છે.

    તલનું કચરિયું શ્રે કેમ

    તલનું કચરિયું ફાઇબરનો સ્ત્રોત ગણાય છે. કચરિયામાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન હોય છે જેના કારણે શરીરમાં રક્ત સંચારનું સંચાલન થતા બ્લડ પ્રેશર કંટ્રોલ થાય છે. હાડકાને મજબૂત બનાવી ઘૂંટણના ઘસારામાં રાહત આપે છે. હાડકાના સાંધામાં કુદરતી ચિકાસ વધારી ચામડીમાં સેલેનિયમ પ્રોટીન પણ વધારે છે.  વિટામીન (બી)નો મુખ્ય સ્ત્રોત ગણાતા તલના કચરિયાના સેવનથી આંખનું તેજ પણ વધે છે.

    અનેક લોકોને રોજીરોટી પુરી પાડે છે

    સુરેન્દ્રનગર શહેરમાં દરરોજ અંદાજે ૩૦૦૦ કિલોથી વધુ કચરિયું વેચાય છે. આ કચેરીયાનો ઉધોગ શિયાળાના ત્રણ કે ચાર માસ દરમિયાન શહેરના અનેક પરિવારોને રોજીરોટી પણ પુરી પાડે છે. કચેરીયાના ભાવ રૂા.૨૫૦ થી ૩૫૦ પ્રતિ કિલોના છે. કચેરીયાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ ૧૦થી ૨૦ ટકાનો વધારો થયો હોવા છતાં ઝાલાવાડવાસીઓ કચેરીયાનો સ્વાદ માણવાનું ચુકતા નથી અને વિદેશમાં વસતા પોતાના સગા સંબધીઓને પણ કચેરિયું મોકલાવે છે. આમ ઝાલાવાડનું પ્રખ્યાત કાળા તલનું કચેરિયું હવે ગુજરાત જ નહિ પરંતુ વિદેશ સુધી પહોચ્યું છે અને શિયાળામાં પૌષ્ટિક આહાર પુરો પાડે છે.

    Surendranagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Upleta દારૂ વેચવાના ગુનામાં આરોપી પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે

    October 10, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh માણાવદરના સરાડીયા નજીક ખેતરમાં શ્રમજીવી પર ટ્રેકટર ફરી જતા મોત

    October 10, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh 10 વર્ષથી અનેક ગંભીર ગુના આચરનાર પાંચ શખ્સો સામે ગુજસીટોકનો ગુનો દાખલ

    October 10, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh કેશોદ પાસે આખલાએ બાઇકસવારનો જીવ લીધો

    October 10, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar ધ્રાંગધ્રા-કુડા રોડ બિસ્માર, નર્મદા બ્રિજ બંધ કરાતા આઠ ગામને હાલાકી

    October 10, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar ખાદ્યતેલની 2 કંપની પર ફૂડ એન્ડ ડ્રગ્સ અને પુરવઠા ટીમનું ચેકિંગ

    October 10, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વૈશ્વિક સ્તરે ટેરીફ અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડો…!!

    October 13, 2025

    US ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા યુદ્ધ સમાપ્ત થઈ ગયું હોવાની જાહેરાત કરી

    October 13, 2025

    Shubman Gill ટેસ્ટમાં 10મી સદી ફટકારી ઇતિહાસ સર્જ્યો

    October 13, 2025

    Actress Alia એ ૬ વર્ષની ઉમરે કેમેરાનો સામનો કર્યો

    October 11, 2025

    ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ફરી કમબેક કરશે ‘Sodhi’

    October 11, 2025

    Bhansali ૧૦૦ કરોડ આપે તો પણ કામ ન કરું : Ismail Darbar

    October 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક સ્તરે ટેરીફ અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડો…!!

    October 13, 2025

    US ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા યુદ્ધ સમાપ્ત થઈ ગયું હોવાની જાહેરાત કરી

    October 13, 2025

    Shubman Gill ટેસ્ટમાં 10મી સદી ફટકારી ઇતિહાસ સર્જ્યો

    October 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.