New Delhi,તા.૧૧
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર કથિત હુમલાના કેસમાં આરોપી બિભવ કુમારે તાજેતરમાં તેમની સામે દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની સંજ્ઞાનને પડકારી છે. તેણે કોર્ટમાં રિવિઝન પિટિશન દાખલ કરી છે. હાલમાં તેનો કેસ તીસ હજારી કોર્ટમાં પેન્ડિંગ છે.
સ્વાતિ માલીવાલની ફરિયાદ પર દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. માલીવાલે ફરિયાદમાં કહ્યું હતું કે જ્યારે તે ૧૩ મેના રોજ સીએમ આવાસ પર અરવિંદ કેજરીવાલને મળવા ગઈ હતી ત્યારે બિભવે તેની સાથે મારપીટ કરી હતી.
માલીવાલની ફરિયાદ પર પોલીસે ૧૮ મેના રોજ બિભવ કુમારની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું કે બિભવ કુમાર તપાસમાં સહકાર આપી રહ્યો ન હતો. બિભવે ૨૭ મેના રોજ જામીન માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ જામીન નામંજૂર થતાં તેણે સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. ત્યાંથી પણ નિરાશ થયા બાદ બિભવે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ હાઈકોર્ટે પણ બિભવને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હવે બિભવે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા.