Gandhinagar,તા.05
ગાંધીનગરના અડાલજ ત્રિમંદિરથી ઝુંડાલ સુધીનો માર્ગ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વચ્ચે કડી સમાન છે ત્યારે આ માર્ગને પહોળો કરવાની કામગીરી હાલ ચાલી રહી છે તેવી સ્થિતિમાં આસપાના દબાણો કામગીરી માટે નડતરરૃપ હોવાને કારણે થોડા દિવસ અગાઉ ગુજરાત રાજ્ય ડેવલપમેન્ટ ઓથોરિટી , માર્ગ અને મકાન વિભાગ, હાઇવે ઓથોરિટી તથા મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે દબાણકારોને એકત્ર કરીને તેમને સ્વયંભૂ દબાણ દૂર કરવા આલ્ટીમેટમ આપી દીધું હતું.
આ સૂચનાને પગલે ઘણા દબાણકારોએ પોતાની રીતે દબાણ દૂર કરવાની કામગીરી શરૃ કરી દીધી હતી. ત્યાર આ માર્ગને પહોળો કરવામાં ૩૦૦ જેટલા દબાણો નડતરરૃપ હોવાને પગલે આજે રવિવારની રજા હોવા છતા આ તમામ તંત્રએ સંકલન સાધીને મેગા ડિમોલેશન ડ્રાઇવ ચલાવી છે.
અગાઉ અલ્ટીમેટમ આપ્યા બાદ પણ દબાણો દૂર નહીં કરનાર દબાણકારોની હોટલ, દુકાન, લારી, ઓટલા સહિત મકાનો તથા ઝુંપડા પર પણ આજે તંત્રનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આજે ૪૦ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે ત્યારે આગામી ત્રણથી ચાર દિવસ પણ આ મેગા ડિમોલેશ ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. આ માર્ગ ઉપર વચ્ચે બાલાપીરની દરગાહ પણ આવેલી છે ત્યારે તે અંગે વાતાવરણ તંગ બન્યું છે. જો કે, હાલ તો તંત્રએ સ્થાનિકોને સાથે રાખીને દરગાહની આસપાસની દિવાલો તથા નડતરરૃપ ઓટલો તોડયો છે.૩૦૦ જેટલા દબાણો આ માર્ગને પહોળો કરવામાં નડતરરૃપ હોવાન કારણે હજુ આગામી ત્રણથી ચાર દિવસ અહીં ડિમોલેશનની કામગીરી કરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લાના અડાલજ ત્રિમંદિરથી ઝુંડાલ સુધીના માર્ગને સવસ રોડ સહિત એઇટલેન કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ માટે માર્ગ અને મકાન વિભાગે કામગીરી શરૃ કરી દીધી છે, પરંતુ આસપાસના દબાણો આ પ્રોજેક્ટમાં નડતર બની રહ્યા છે.ત્યારે ગુડા દ્વારા આ નડતરરૃપ દબાણો આઇડેન્ટીફાય કરીને તેને દૂર કરવા માટે દબાણકારોને અગાઉ અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું હતું ત્યારે આજે ગુડા, માર્ગ અને મકાન, પંચાયત, હાઇવે ઓથોરિટી સાથે જિલ્લા વહિવટી તંત્રની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે અડાલજ-ઝુંડાલ માર્ગ ઉપર સંયુક્ત મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં પ્રથમ દિવસે મકાન, દુકાન અને ઝુંપડા સહિત ૪૦ જેટલા દબાણો દૂર કરાયા છે. આગામી દિવસોમાં અહીં ૨૦૦થી વધુ દબાણો હટાવાશે.