એલઆરડી થી પીઆઈ સુધીની આંતરિક બદલીનો ઘાણવો ઉતારશે પો. કમિશ્નર ઝા
Rajkot,તા.૨૭
રાજકોટ શહેરમાં અગ્નિકાંડની ગોઝારી ઘટના બાદ તાત્કાલિક અસરથી તત્કાલિન પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકી દેવાયા બાદ બ્રજેશ ઝાને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. ત્યારે હવે ચૂંટણી સહીતની પ્રક્રિયાઓ પૂર્ણ થઇ ગયા બાદ લાંબો સમયથી બદલીની રાહ જોતા પોલીસ કર્મચારીઓની બદલીનો ઘાણવો ટૂંક સમયમાં ઉતરી શકે છે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. શહેરમાં ફરજ બજાવતા 200થી વધુ કર્મચારીઓની આંતરિક બદલીનો ઘણાવો ઉતરી શકે છે. આ બદલીમાં એલઆરડી જવાનથી માંડી પીઆઈ સુધીના અધિકારીઓનો સમાવેશ કરી લેવામાં આવશે તેવું જાણકારો કહી રહ્યા છે. આ લીથો તબક્કાવાર જાહેર કરવામાં આવશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.