Rajkot, તા.૧
અગ્નિકાંડ બાદ જાણે દુર્ઘટનાઓ રાજકોટ મનપા તંત્રનો પીછો છોડવા માંગતી ન હોય તેમ તંત્રની ઘોર બેદરકારીના પાપે ઉપલાકાંઠા વિસ્તારમાં વધુ એક દુર્ઘટના સર્જાય તેમ હતી પરંતુ કુદરતે ચમત્કારીક બચાવ કરી લેતા દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી બન્યું એવુ કે ઉપલાકાંઠા વિસ્તારની ગ્રીનલેન્ડ ચોકડી નજીક ડ્રેનેજનુ મેનહોલ ખુલ્લુ હતુ અને એકટીવા સવાર વૃઘ્ધ ત્યાંથી પસાર થયા ત્યારે મેનહોલ ઉપર વરસાદી પાણી ભરાયેલુ હતુ તેથી ડ્રેનેજના મેનહોલ ઉપર ઢાંકણુ છે કે નહી? તેનો ખ્યાલ આવ્યો ન હતો અને એકાએક એકટીવાનુ આગળનુ વ્હીલ ડ્રેનેજના મેનહોલમાં ઘુસી જતા એકટીવા સવાર વૃઘ્ધ મોંભેર પછડાયા હતા. દરમિયાન આજુબાજુમાંથી પસાર થતા વાહનચાલકોને તુરંત ખ્યાલ આવી જતા રસ્તા ઉપર મોંભેર પટકાયેલા વૃઘ્ધને ઉભા કર્યા હતા અને ડ્રેનેજ મેનહોલમાં ઘુસી જતા ફસાઈ ગયેલુ તેમનુ એકટીવા બહાર કાઢ્યુ હતુ સદનસીબે વૃઘ્ધનો બચાવ થયો હતો.