Mumbai,તા.27
એક ઇન્ટરવ્યૂમાં Sonakshi Sinhaએ કહ્યું કે, ‘અમે ક્યારેય ધર્મ વિશે વિચાર્યું જ નથી. અમે માત્ર બે એવા લોકો છીએ જે એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માંગતા હતા. ઝહીરે ક્યારેય તેનો ધર્મ મારા પર નથી થોપ્યો અને મેં પણ મારો ધર્મ તેના પર નથી થોપ્યો. અમે એકબીજાની સંસ્કૃતિનું સન્માન કરીએ છીએ. મેં સ્પેશિયલ મેરેજ ઍક્ટ હેઠળ લગ્ન કર્યા હતા, તેથી મને ધર્મ બદલવાની જરૂર જ ન પડી.
Sonakshi Sinhaએ કહ્યું કે, ‘અમારા માટે શ્રેષ્ઠ રસ્તો એ જ હતો કે અમે સ્પેશિયલ મેરેજ ઍક્ટ હેઠળ લગ્ન કરીએ.’ હું એક હિન્દુ છોકરી તરીકે જેવી હતી એવી જ રહી અને ઝહીર મુસ્લિમ છોકરા જેવો જ રહ્યો. લગ્નનો અર્થ માત્ર બે લોકોનો પ્રેમ અને સાથે આવવાનો હતો. અમારી વચ્ચે ક્યારેય ધર્મ બદલવાનો તો સવાલ જ નથી આવ્યો. અમારા માટે પ્રેમ સૌથી મહત્વનો હતો. ખાસ વાત એ છે કે Sonakshi Sinha અને ઝહીરે લગ્ન માટે એ જ તારીખ પસંદ કરી જે તેમણે 7 વર્ષ પહેલા એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું હતું.
Sonakshi Sinhaએ જણાવ્યું કે, અમે એકબીજાની પારિવારિક પરંપરાઓનું સન્માન કરીએ છીએ.’ તે તેમના રીતિ-રિવાજોનું પાલન કરે છે અને હું મારા રીતિ-રિવાજોનું પાલન કરું છું. આ પરસ્પર સમજણ અને આદર એ જ સફળ સંબંધની ઓળખ છે. કરિયરની વાત કરીએ તો સોનાક્ષી ગત વર્ષે હોરર કોમેડી ફિલ્મ ‘કાકુડા’માં દેખાઈ હતી, જેમાં રિતેશ દેશમુખ અને સાકિબ સલીમ પણ તેની સાથે હતા. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ ZEE5 પર રિલીઝ થઈ હતી.