Ahmedabad, તા.5
રાજયની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકનને લઈને એક કમિટીની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નિતી-2020માં બાળકોના 360 ડિગ્રી મૂલ્યાંકનને લઈને કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં હાલમાં પ્રાથમિક શાળામાં લેવાતી એકમ કસોટી તથા પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના મૂલ્યાંકન માટે સમિતિ પોતાની ભલામણો સરકારને સુપરત કરશે.
સમિતિ દ્વારા મે- 2025 સુધીમાં પોતાની ભલામણો સુપરત કરવામાં આવ્યા બાદ સરકાર દ્વારા તે અંગે નિર્ણય કરશે અને નવા શૈક્ષણિક વર્ષથી અમલ કરવામાં આવશે. તાજેતરમાં એકમ કસોટીને લઈને ભારે વિરોધ થયો બાદ સરકાર દ્વારા કમિટીની રચનાની ખાતરી આપી હતી. જેમાં એકમ કસોટી ઉપરાંત અન્ય મૂલ્યાંકનનો પણ સમાવેશ કરી દેવાયો છે. આ કમિટીમાં 12 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સતત બુક બાટે આયોગમાં મ કસોટી લેવામાં આવતી હતી. એકમ કસોટી દર સપ્તાહે શનિવારના રોજ લેવાતી હતી. જોકે, એકમ કસોટીને લઈને છેલ્લા કેટલાક સમયથી વિરોધનો વંટોળ ઊભો થયો હતો. શિક્ષણ વિભાગના પૂર્વ અષિકારી દ્વારા પણ એકમ કસોટી રદ કરવાની તરફેણ કરી હતી અને તેના વિરોધમાં એક દિવસ ઉપવાસ આંદોલન પણ કર્યું હતું. જેના પગલે સરકાર દ્વારા એમ કસોટીને લઈને વિચારણા શરૂ કરી હતી.
દરમિયાન, તાજેતરમાં રાજ્યના શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એક બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ શૈક્ષણિક સંગઠનોના હોદેદારો ઉપરાંત શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં એકમ કસોટીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિવિષ રજૂઆતોના પગલે શિક્ષણણંત્રી દ્વારા એકમ કસોટીને લઈને એક કમિટીની રચના કરવાનું નક્કી કરાયું હતું.
જોકે, હવે GCERT દ્વારા પરિપત્ર કરી નવી શિક્ષણ નીતિ-2020 અન્વયે બાળકોના 360 ડિગ્રી મૂલ્યાંકન માટે સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં કુલ 12 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી શાળામાં અભ્યાસ કરતા બાળકોના મૂલ્યાંકનને લઈને ચર્ચા વિચારણા કર્યા બાદ પોતાનો અહેવાલ સરકારને સુપરત કરશે. આ માટે સરકાર દ્વારા કમિટીને મે-2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
એટલે કે, હવે કમિટી 3 માસમાં મૂલ્યાંકનને લઈને સમગ્ર બાબતોની છણાવટ કરી પોતાનો અહેવાલ સુપરત કરશે. આ અહેવાલ સરકારને મળ્યા બાદ થોડા જ – દિવસમાં તેના અમલને લઈને જાહેરાત કરાશે. -સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષની શરૂઆતથી જ નવા મૂલ્યાંકનને લઈને અમલ કરવાની હોવાથી જૂનના અંત સુધીમાં અમલની જાહેરાત કરવામાં ઓવી શકે છે.
કમિટી દ્વારા જે મૂલ્યાંકન માટે ભલામણ કરવામાં આવશે તેમાં એકમ કસોટીના બદલે શું અમલમાં મૂકી શકાય તે માટે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ અને દ્વિતીય . સત્રાંત કસોટીના મૂલ્યાંકન અંગે પણ કમિટી દ્વારા પોતાનો અહેવાલ સુપરત કરવામાં આવશે. આમ, કમિટીના અહેવાલ બાદ તેના અમલના પગલે નવા શૈક્ષણિક વર્ષથી એકમ કસોટીનું સ્વરૂપ બદલાય અથવા તો એકમ કસોટીના બદલે અન્ય કોઈ મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં આવે તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે.