રથયાત્રાના રૂટમાં ફેરફારને લઇને મંદિર ટ્રસ્ટ, એએમસી, મેટ્રો રેલ અને પોલીસ વચ્ચે વિવાદ શરૂ થયો હતો જોકે હવે આ વિવાદનો અંત આવી ગયો
Ahmedabad,,તા.૨૧
અમદાવાદ દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથની ૧૪૮મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રથયાત્રાના રૂટમાં ફેરફારને લઇને મંદિર ટ્રસ્ટ, એએમસી, મેટ્રો રેલ અને પોલીસ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. જોકે હવે આ વિવાદનો અંત આવી ગયો છે. કાલુપુર પાસે ડાયવર્ઝનને એક દિવસ માટે ખોલશે. જેથી હવે રથયાત્રાના રૂટમાં કોઇ ફેરફાર થશે નહી, રથયાત્રા પરંપરાગત રૂટ પરથી જ પસાર થશે.હાલમાં કાલુપુર રેલવે સ્ટેશન નજીક નવા ફ્લાયઓવરનું બાંધકામ ચાલી રહ્યું છે. જેની સ્થળ મુલાકાત બાદ રથયાત્રાનો પ્રસ્તાવિત રૂટ પંચકુવા દરવાજાથી કાલુપુર રેલવે સ્ટેશન તરફ જશે. કાલુપુર રેલવે સ્ટેશનની સામેની તરફના રોડ (કાલુપુરથી સારંગપુર જવાનો રસ્તો) પર ખસેડવામાં આવશે અને ફરીથી રેલવે વર્ક પિયર નંબર ૨૪થી મોતી મહેલ રેસ્ટોરન્ટ તરફ જશે. રથયાત્રા નિયત રૂટ પરથી સરળતાથી નીકળી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ અને એજન્સીએ આ પ્રમાણે કામગીરી કરવાની રહેશે.
અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશને શું કરવાનું રહેશે?
૧. રથયાત્રાના દિવસે (અષાઢી બીજે) રસ્તામાં પડેલા પથ્થર ખસેડી લેવા અને રેલિંગ તોડી પાડવાની રહેશે.
૨. બે મોટા વૃક્ષો કાપવાના રહેશે.
૩. રથને સરળતાથી હંકારવા માટે બિટ્યુમિનસ મટિરિયલ વડે રોડ પેચવર્ક કરવાનું રહેશે.
પોલીસની શું જવાબદારી રહેશે?
૧. પોલીસે રથયાત્રાના રૂટની જાહેરાત કરવાની રહેશે.
૨. ફક્ત રથયાત્રાના દિવસ માટે નકશા મુજબ રોડ ડાયવર્ઝન ખોલવા માટે પરવાનગી અને સંકલન કરવાની જરૂર છે.
૩. નક્કી કરેલા રૂટ મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે.
ડ્ઢઇછૈંઁન્ની કામગીરી શું રહેશે?
૧. રથયાત્રાના દિવસે ટ્રાફિક અવરોધો દૂર કરવાના રહેશે
૨. રથયાત્રાના અંદરના રૂટના રસ્તાની સફાઇ અને સામગ્રી ખસેડવાની રહેશે.
૩. જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાંથી રથયાત્રા સરળતાથી પસાર થઇ શકે તે સુનિશ્વિત કરવાની જવાબદારી રહેશે.
૪. રથયાત્રાના દિવસ જરૂરી સ્ટાફ ગોઠવવાનો રહેશે.