Morbi,તા.28
જેમાં મોરબીના રંગપર બેલા ગામે વીજશોક લાગતા યુવાનનું મોત થયું છે તો ટંકારા અને વાંકાનેરમાં યુવાને આપઘાત કરી લેતા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મોરબી તાલુકાના રંગપર (બેલા) નજીક સનટેન સિરામિક લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા દાદુરામ બુજ્સેન (ઉ.વ.૨૬) નામનો યુવાન ગત તા. ૨૬ ના રોજ રાત્રીના લેબર ક્વાર્ટરમાં ઇલેક્ટ્રિક શોક લાગતા ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડાયો હતો જોકે સારવાર મળે પૂર્વે જ યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે બીજા બનાવમાં વાંકાનેરના નવા વઘાસીયા ગામે રહેતા તુલશીભાઈ દલપતભાઈ પરમાર (ઉ.વ.૩૩) નામના યુવાને ગત તા. ૨૬ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે
ત્રીજા બનાવમાં રાજસ્થાનના વતની અને હાલ ટંકારાના સરાયાં ગામની સીમમાં આવેલ સ્લોગન કંપનીના લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતા નીરૂભાઈ સોમાભાઈ પટેલ (ઉ.વ.૨૦) નાના યુવાને કોઈ કારણોસર લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે ટંકારા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે