Morbi,તા.25
મોરબી શહેરમાં બે સ્થળે આપઘાતના બનાવો પ્રકાશમાં આવ્યા છે જયારે વાંકાનેર શહેરમાં અકસ્માત મૃત્યુમાં વૃદ્ધનું મોત થયું હતું ત્રણેય બનાવો મામલે પોલીસે તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મોરબીના શનાળા રોડ પર પાવઠાની વાડીમાં રહેતા ૪૭ વર્ષીય દિનેશભાઈ ભવાનભાઈ ડાભી પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા સીટી એ ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે
બીજા બનાવમાં મૂળ લીંબડી તાલુકાના રાણાગઢના વતની અને હાલ મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ પાછળ શિવપાર્કમાં રહેતા આશાબેન ચેતનભાઈ જેજ્રરીયા (ઉ.વ.૧૯) નામની પરિણીતાએ પોતાના મકાનમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને તપાસ ચલાવી છે મૃતક આશાબેનનો લગ્ન ગાળો દોઢ વર્ષનો છે તેના માવતરે અવરો જ્વરો ના હોય અને મમ્મી સાથે વાત કરતી હતી જેથી પતિ ચેતનભાઈએ માવતરમાં વાત નહિ કરવાનું કહીને ઠપકો આપતા લાગી આવતા પરિણીતાએ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ત્રીજા બનાવમાં વાંકાનેરના વેલનાથપરા શેરી નં ૦૧ માં રહેતા ૭૪ વર્ષીય વૃદ્ધ બાબુભાઈ રાયશિંગભાઈ દારોદરા સ્ટેચ્યુ ચોકમાં બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં અચાનક પડી જતા માથું ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાતા માથામાં ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું છે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે