Morbi,તા.21
મોરબી, માળિયા અને વાંકાનેરમાં આપઘાત અને અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે જે ત્રણેય બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
પ્રથમ બનાવમાં માળિયા તાલુકાના બગસરા ગામના રહેવાસી મુળજીભાઈ ભીમાભાઇ પીપળીયા (ઉ.વ.૩૯) નામના યુવાને ગત તા. ૨૦ જુનના રોજ માળિયા કોસ્ટલ રોડ પર આવેલ ઝાડીમાં દોરી વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું માળિયા પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે બીજા બનાવમાં વાંકાનેરના આરોગ્યનગર ગાયત્રી મંદિર રોડ પર રહેતા હરેશભાઈ કુકાભાઈ સિહોરા (ઉ.વ.૪૬) નામના આધેડ ગત તા. ૦૬ જુનના રોજ સાંજે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોરબી સારવાર આપી ઘરે આવી ગયા હતા અને તા. ૨૦ ના રોજ બપોરે શ્વાસ લેવામાં તકલીફ થતા રાજકોટ લઇ જતા હતા અને રસ્તામાં બેભાન થઇ જતા પરત વાંકાનેર સરકારી હોસ્પિટલ લાવતા ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે ત્રીજા બનાવમાં મોરબીના ઉમિયા સર્કલ પાસે ઉમિયાનગરમાં રહેતા સોનુભાઈ રામસુરેશભાઈ બગનોલી (ઉ.વ.૩૩) નામના યુવાન ગત તા. ૨૦ ના રોજ રાત્રીના ત્રીજા માળે બાલ્કનીમાં સુતા હતા ત્યારે કોઈ કારણોસર પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે