Morbi,તા.26
લવણપુર ગામે રહેતા ૪૦ વર્ષીય આધેડ પોતાના ઘરે બીમારીથી કંટાળી ગળેટુંપો ખાઈ આયખું ટુંકાવ્યું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
માળિયા (મી.) તાલુકાના લવણપુર ગામના રહેવાસી કાદર હારૂન કમોરા (ઉ.વ.૪૦) નામના આધેડે પોતાના રૂમનો દરવાજનો બંધ કરી છતના પતરાના લોખંડ સાથે દોરડું બાંધી ગળેટુંપો ખાઈ આપઘાત કર્યો હતો બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે માળિયા પોલીસે પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક કાદર ક્મોરા નામનો યુવાન માનસિક બીમારીથી પીડિત હતો અને બીમારીથી કંટાળી જઈને અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે માળિયા પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે