રાજકોટ,તા.30
શહેરના ગોંડલ રોડ પર આવેલા રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમમાં રહેતાં અને અગાઉ ફેશન ડિઝાઈનર તરીકે કામ કરતાં વિનોદભાઈ ખીમજીભાઈ ભાડેશીયા (ઉ.વ.૫૫) નામના પ્રોઢે સવારે બાપુના બાવલા નજીક શિવાંગ ગેસ્ટ હાઉસના રૂમમાં જંતુ મારવાની દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેમણે સ્યુસાઈડ નોટમાં પોતાના દિકરાને ઉદેશીને ઘણુ લખ્યું છે. તેમજ એવું પણ લખ્યું છે કે જો મને પરમશક્તિ (ઈશ્વર) મનુષ્ય જન્મ લેવામાં ઓપ્શન આપે તો હું સ્ત્રીલીંગમાં જન્મ લેવાની ઈચ્છા રાખીશ.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઈ, કેતનભાઈ, ભાવેશભાઈ, કાનાભાઈ, બળુભા, ધર્મેન્દ્રભાઈ, તૌફિકભાઈએ એ-ડિવીઝનને કરી હતી. વિનોદભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ઘર પરિવારથી અલગ એકલવાયુ જીવન જીવે છે. તેનો એક દિકરો વિદેશ રહે છે. પત્નિ અને ભાઈ સાથે ખાસ રિલેશન નથી. વિનોદભાઈએ એકલાવાયા જીવનથી કંટાળીને જંતુનાશક દવા પીધાની શક્યતા પોલીસને જણાઈ હતી.
તેમણે એક વિસ્તૃત ચિઠ્ઠી લખી છે તેમાં લખ્યું છે કે અત્યારે જે જગ્યાએ સ્યુસાઈડ કરવું છે તે હોટેલના રૂમમાં પહોંચી ગયો છું, પરમશક્તિ (ઈશ્વર) હવે કદાચ મને મનુષ્ય જન્મ આપે તો હું પુરૂષ તરીકે એટલે કે પુલીંગમાં જન્મ લેવા નથી માંગતો, પણ પરમશકિત મારા કર્મોને આધારે ચોઇસ આપે તો…કારણ કે હું આ જન્મમાં એક પિતા તરીકે સારો સાબિત ન થઇ શક્યો