ગોહિલવાડમાં વર્ષ ૨૦૧૫ બાદ નૈઋત્ય ચોમાસાના પ્રારંભિક તબક્કામાં ૫૦ ટકા જેટલો વરસાદ વરસ્યો હોય તેવું આ વર્ષે પ્રથમ વખત બન્યું છે. ગત વર્ષે ૨૧.૫૭ ટકાની સરખામણીએ આ વર્ષે જૂન માસમાં સરેરાશ ૪૯.૮૧ ટકા એટલે કે ૨૮.૨૪ ટકા વધુ વરસાદ વરસી ચુક્યો છે.આ વર્ષે જિલ્લામાં થયેલી મેઘમહેરમાં ૭૯.૮૦ ટકા (૪૯૦ મિ.મી.) સાથે ઉમરાળા તાલુકો મોખરે છે. ત્યારબાદ ૭૨.૭૧ ટકા (૪૬૯ મિ.મી.) સાથે સિહોર તાલુકામાં વધુ વરસાદ થયો છે. આ ઉપરાંત વલ્લભીપુર તાલુકામાં ૫૯.૦૮ ટકા (૩૮૭ મિ.મી.), પાલિતાણા તાલુકામાં ૫૯.૦૫ ટકા (૩૫૯ મિ.મી.), મહુવા તાલુકામાં ૪૯.૭૧ ટકા (૩૪૨ મિ.મી.), ગારિયાધાર તાલુકામાં ૪૭.૮૨ ટકા (૨૧૯ મિ.મી.), જેસર તાલુકામાં ૪૭.૬૧ ટકા (૩૦૯ મિ.મી.), તળાજા તાલુકામાં ૩૬.૦૩ ટકા (૨૦૫ મિ.મી.), ઘોઘા તાલુકામાં ૨૫.૨૪ ટકા (૧૫૯ મિ.મી.) અને ભાવનગરમાં ૨૫ ટકા (૧૮૮ મિ.મી.) મેઘકૃપા થઈ છે. જૂન મહિનામાં જિલ્લામાં સરેરાશ ૩૧૨.૭ મિ.મી. (૪૯.૮૧ ટકા) વરસાદ વરસ્યાનું નોંધાયું છે.
Trending
- 11 નવેમ્બર નું પંચાંગ
- 11 નવેમ્બર નું રાશિફળ
- દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક કાર બ્લાસ્ટ, 11 લોકોના મોત, ૩૦ ઘાયલ, બે શંકાસ્પદોની અટકાયત
- પીઢ એક્ટર Prem Chopra હૉસ્પિટલમાં દાખલ
- 11 નવેમ્બર, “રાષ્ટ્રીય શિક્ષણ દિવસ”
- જમીન ન હોય તો હવે ખેડૂતને કાળજી લેવાની જરૂર નથી, અપનાવો વર્ટિકલ ફાર્મિંગની નવી ટેક્નિક
- તંત્રી લેખ…ટ્રમ્પની જાહેરાત ભારત જેવી ઉભરતી શક્તિઓ માટે માથાનો દુખાવો છે
- શું બેંક ખાનગીકરણની પ્રક્રિયા ખરેખર શરૂ થઈ ગઈ છે?

