Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!

    November 5, 2025

    શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો

    November 5, 2025

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!
    • શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો
    • ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય
    • Indian women’s cricket team નો વિજય – એક ક્રાંતિ, એક નવી શરૂઆત
    • Harmanpreet એવું કામ કરી દીધું છે કે ટ્રોફી કાયમ માટે તેની સાથે જ રહેશે
    • અંતિમ તબક્કામાં India-US ની ટ્રેડ ડીલ, વ્હાઇટ હાઉસનો દાવો
    • Mumbai માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ખુશ શહેર
    • સંરક્ષણ દળોમાં અરાજકતા ફેલાવવાનો રાહુલનો પ્રયાસ : રાજનાથસિંહ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»આરોગ્યમંત્રીનો કાફલો કચ્છમાં ત્યારે 24 કલાકમાં 3 મોત
    ગુજરાત

    આરોગ્યમંત્રીનો કાફલો કચ્છમાં ત્યારે 24 કલાકમાં 3 મોત

    Vikram RavalBy Vikram RavalSeptember 12, 2024Updated:September 12, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભારાવાંઢમાં જ કુલ 5 વ્યકિતના મોત થયાઃ લખપત તાલુકામાં 300 દર્દીઓ સારવાર હેઠળ, 250 આરોગ્ય કર્મચારી કાર્યરત

    Bhuj,તા,12

    કચ્છ જિલ્લાના અબડાસા તેમજ લખપત તાલુકામાં ભેદી બીમારીથી ટપોટપ મોત થવાનો સીલસીલો જારી છે. આજે વધુ એક દર્દીનું મોત નીપજયું હતું.  અબડાસાના ભારાવાંઢમાં છેલ્લા 24 કલાકમાં પિતા- પુત્ર સહિત 3 ના મોત થયા છે.  જિલ્લામાં આ મૃત્યુનો કુલ આંક 17 પર પહોંચ્યો છે.રાજયના આરોગ્ય મંત્રી, પ્રભારી મંત્રી અને આરોગ્ય સચિવનો કાફલો કચ્છમાં છે તે વચ્ચે વધુ એક મોતની ઘટનાએ તંત્રને દોડતું કર્યું છે. મંત્રીઓએ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજી  તે વચ્ચે ભેદી રોગચાળો અટકવાનું નામ લેતું ન હોય તેમ ભેદી બીમારીથી વધુ એક યુવકના મોતના પગલે આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.

    અબડાસાના ભારાવાંઢમાં રહેતા 42 વર્ષિય અલાના જત અને તેનો 15 વર્ષિય પુત્ર બંને સોમવારે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. દરમિયાન, મંગળવારે પુત્રનું મોત નીપજયું હતું. પુત્રના મોતના પગલે ભાંગી પડેલા પિતા અલાના સારવાર અધવચ્ચે મુકીને પરત ઘરે ચાલ્યો ગયો હતો. આજે તેના ટ્રેસીંગ માટે આરોગ્ય તંત્રની ટીમ તપાસ કરતી હતી ત્યારે જ તેના નિવાસ સ્થાને અલાનાએ દમ તોડી દીધો હતો. છેલ્લા 24 કલાકમાં ભારાવાંઢમાં આ બંને પિતા પુત્ર અને 36 વર્ષિય મહિલા મીસબેન અબુબકર જત એમ કુલ ત્રણના મોત થયા છે. કચ્છમાં અત્યાર સુધી ભેદી રોગચાળાનો ભોગ બનેલા 17 લોકોના મોત નીપજયા છે.

    ખોબા જેવા ભારાવાંઢ ગામમાં અત્યાર સુધીમાં કુલ પાંચના મોત થયા છે. અહિંના સ્થાનિક આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, ગામમાં પાંચ મોત બાદ હવે સરકાર સફાળી જાગી છે. જો આગોતરા પગલાં ભરાયા હોત તો નિર્દોષ વ્યકિતઓના જીવ બચાવી શકાયા હોત. ભારાવાંઢમાં આરોગ્ય વિભાગની ટીમોએ ધામા નાખ્યા છે. દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ગામ લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે. પત તાલુકામાં દર્દીઓથી ઓપીડી ઉભરાઈ રહી છે. હાલમાં 300 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ૨૫૦થી વધુ કર્મચારીઓ ભેદી બીમારીને નાથવા માટે પ્રયત્નશીલ છે. દવા છંટકાવ સહિતની કામગીરી માટે 35 ટીમો તૈનાત રખાઈ છે. બેખડો, સાન્ધ્રોવાંઢ, મોરગર, મેડીવાંઢ, ભારાવાંઢ, લાખાપર સહિતના વિસ્તારમાં દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે. પુના મોકલવામાં આવેલા સેમ્પલના પરીક્ષણની રાહ જોવાઈ રહી છે.

    બીજીતરફ, રોગચાળાના કહેર વચ્ચે લખપત તાલુકાના છેવાડાના વિસ્તાર સુધી પાણીની તકલીફ ઉભી થઈ છે. પાણીના ટેન્કર શરૂ કરવામાં આવ્યા છે પણ પુરતું પાણી મળતું નથી.

    જામનગરથી બે અને બોટાદથી એક ટીમ કચ્છ પહોંચી

    કચ્છના છેવાડાના અબડાસા- લખપત તાલુકામાં ભેદી બીમારીને નાથવા આરોગ્ય વિભાગની ટીમોને કચ્છમાં ઉતારવામાં આવી છે. ગત રોજ રાજયના આરોગ્ય મંત્રી, પ્રભારી મંત્રી અને આરોગ્ય સચિવ પહોંચ્યા હતા તો બીજીતરફ જામનગર અને બોટાદ જિલ્લામાંથી તબીબ, સીએમઓ સહિત આરોગ્ય વિભાગની ટીમો અબડાસા- લખપત પહોંચી છે. એમ્બ્યુલન્સ સાથે પહોંચેલી ટીમોમાં જામનગરથી 8 સભ્યોની બે ટીમ અને બોટાદથી ચાર સદસ્યોની એક ટીમ કચ્છ આવી છે.

    Abdasa Mysterious-illness-kills-son-after-father Total-17-dead
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Mumbai માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી ખુશ શહેર

    November 5, 2025
    રાષ્ટ્રીય

    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે: Kiren Rijiju

    November 5, 2025
    રાષ્ટ્રીય

    કોંગ્રેસના એજન્ટો મતદાન મથકો પર શું કરી રહ્યા હતા?: Election Commission

    November 5, 2025
    રાજકોટ

    Rajkot : DCB એ જાહેર કરેલ નંબરની અસર : લોકો નિડર બન્યા

    November 5, 2025
    રાજકોટ

    Rajkot : રાતે 11 ના ટકોરે ન્યુસન્સ પોઇન્ટ બંધ થવા લાગ્યાં : સુરક્ષાનો માહોલ

    November 5, 2025
    રાજકોટ

    Rajkot : કાલથી કોંગ્રેસની ‘કિસાન આક્રોશ યાત્રા’નું સોમનાથથી પ્રસ્થાન

    November 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!

    November 5, 2025

    શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો

    November 5, 2025

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025

    Indian women’s cricket team નો વિજય – એક ક્રાંતિ, એક નવી શરૂઆત

    November 5, 2025

    Harmanpreet એવું કામ કરી દીધું છે કે ટ્રોફી કાયમ માટે તેની સાથે જ રહેશે

    November 5, 2025

    અંતિમ તબક્કામાં India-US ની ટ્રેડ ડીલ, વ્હાઇટ હાઉસનો દાવો

    November 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh ના ભારતી આશ્રમમાંથી ગુમ થયેલા મહંત મળી આવ્યા!

    November 5, 2025

    શાકભાજી વેચનારાને લાગ્યો jackpot, ૧૧ કરોડની લોટરી જીત્યો

    November 5, 2025

    ગીતામૃતમ્.. ક્રોધ ઉપર કાબૂ મેળવવાનો ઉપાય

    November 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.