Jamnagar,તા.19
જામનગરમાં ફુલીયા હનુમાન પાસે રહેતો અને મજુરી કામ કરતો સુનિલ બચુભાઈ બામરોલીયા નામનો બત્રીસ વર્ષનો ગોદડીયા બાવાજી યુવાન ગઈકાલે પાછલા તળાવમાં નહાવા માટે પડ્યો હતો, ત્યાં તેનો એકાએક પગ લપસી જતા પાણીના ઉંડા ખાડામાં ગરકાવ થઈ ગયો હતો, અને ડૂબ્યો હતો.
જેને બહાર કાઢી લઈ બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકની પત્ની કાજલબેન સુનિલભાઈ બામરોલીયા એ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝન પોલીસે જીજી હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.