16 લાખના ચેક રીટનના કેસમાં નીચલી કોર્ટના સજાના હુકમ સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરી ‘તી
Rajkot,તા.10
સંબંધના દાવે લીધેલા રૂ.૧૬ લાખની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં નીચલી કોર્ટના સજા વળતરના હુકમ સામેની આરોપીની અપીલમાં સેશન્સ કોર્ટે કેસ ફરીથી નીચલી કોર્ટને ચલાવવા આપતા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસની હકીક્ત મુજબ રાજકોટમાં રહેતા શૈલેષ ગોવિંદભાઈ ગોંડલીયા પાસેથી વલ્લભભાઈ બેચરભાઈ પાનસુરીયાએ સબંધના દાવે રૂા.૧૬ લાખ લીધા હતા. જેની ચુકવણી માટે આપેલો ચેક પરત ફરતા ફરીયાદમાં કોર્ટ દ્વારા સજા અને વળતરનો હુકમ કરાયો હતો. જે સામે આરોપીએ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં તેમ વકીલ મારફત અપીલ કરવામાં આવતા સદરહુ કેસ ફરી વખત ચલાવવા સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો. નીચલી કોર્ટમાં ફરી વખત ચાલવા ઉપર આવેલા કેસમાં ખુબ જ મહત્વ કહી શકાય તેવી ફરીયાદીના હાથેથી લખેલી ચીઠી રજુ કરવામાં આવેલ. તમામ સાક્ષીઓ અને રજુ થયેલ ચીઠી દવારા આરોપીના એડવોકેટ દ્વારા સફળતાપુર્વક સત્ય હકીક્ત કોર્ટના ધ્યાન પર લાવેલ અને એવું પુરવાર કરેલ કે ફરીયાદી દ્વારા આરોપીના સિકયુરિટી પેટે આપેલા ચેકમાં ખોટી રકમ ભરી ચેકનો દુરઉપયોગ કરી અને ખોટી ફરીયાદ કર્યાનું રેકર્ડ પર આવતા મેજિસ્ટ્રેટ એન.ટી.કારીયાએ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં આરોપી તરફે વકીલ પીયુષ જે. કારીયા, પ્રધ્યુમનસિંહ એમ. જાડેજા, મોહિત લિંબાસીયા, સચીન એમ. તેરૈયા અનીલ રાદડીયા તથા નિપુલ કારીયા રોકાયા હતા.