સૌરાષ્ટ્રના જગ વિખ્યાત યાત્રાધામ વીરપુર જલારામ ધામમાં બાર જૂને અમદાવાદ પ્લેનક્રેસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી,
Virpur,તા.17
તાજેતરમાં જ બારમી જૂને સમગ્ર ભારત દેશને હચમચાવનાર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આકસ્મીક નિધન થયેલ હતું તેમજ સાથે સાથે આ દુર્ઘટનામાં ૨૭૦ થી વધુ વ્યક્તિઓના નિધન થયા હતા, આ હતભાગી દિવંગતોના આત્માને શાંતિ મળે તે હેતુથી, યાત્રાધામ વિરપુર ગામના યુવા સરપંચ રમેશભાઈ સરવૈયા તેમજ ઉપ સરપંચ સંજયભાઈ તથા રાજકોટ દૂધ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા,પુર્વ અરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરીયા, ક્ષત્રિય ખાંટ રાજપુત સમાજના પ્રમુખ જગદીશભાઈ સરવૈયા,કોળી સમાજના પ્રમુખ કેશુભાઈ મેર,પરસોત્તમભાઈ શેખ,દિનેશભાઇ વઘાસીયા, ગાયત્રી મુક્તિધામના પ્રમુખ અનિલભાઈ વઘાસીયા,લોહાણા સમાજના અગ્રણી નરેશભાઈ ચાંદ્રાણી તેમજ સમસ્ત ગ્રામજનો, વીરપુરના તમામ સમાજના આગેવાનો, વેપારી એસોસિએશનના મિત્રો, તમામ સામાજીક સંસ્થા તેમજ રાજકીય આગેવાનો સહિતના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી વિરપુર ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું આ પ્રાર્થના સભામાં વેપારી અગ્રણી રમેશભાઈ ગઢિયા તેમજ ગાયત્રી મંદીરના પૂજારીશ્રીએ મહામૃત્યુજય સ્લોક તેમજ હનુમાન ચાલીસા તેમજ રામધૂન બોલીને સ્વ.વિજયભાઈ રૂપાણીને તેમજ પ્લેનક્રેસ દુર્ઘટનામાં નિધન પામેલા તમામ લોકોને શ્રધ્ધાસુમન શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.