Uttar Pradesh તા.8
અહી આજે વહેલી સવારે ફાયરીંગ કરી ટ્રિપલ મર્ડરની ઘટના બનતા ખળભળાટ ફેલાયો હતો. તાહીરાપુર ચેક પાસે બાઈક સવાર ખેડુત નેતા પપ્પુસિંહ ઉ.વ.50 તેમનો પુત્ર અભયસિંહ ઉ.વ.22 અને નાનોભાઈ રીંકુસિંહ ઉ.વ.40 બાઈકમાં જઈ રહ્યા હતા. ત્યારે ટ્રેકટર સવાર હુમલાખોરોએ ફાયરીંગ કરી ત્રણેયની હત્યા કરી હતી. ગામના જ રહેવાસી પૂર્વ પ્રધાન મુન્નુસિંહ અને તેની સાથે રહેલા લોકોએ ઘટનાને અંજામ આપ્યાનો આરોપ લગાવાયો છે. ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ખેડુત નેતા પપ્પુસિંહના માતા રામદુલારીસિહ હાલમાં ગ્રામ પ્રધાન છે. ગ્રામીણોએ પોલીસને મૃતદેહો ઉઠાવતા રોકયા હતા. ઘટનાસ્થળે એકત્રીત લોકોએ ફરાર થયેલા હત્યારાઓની ધરપકડની માંગ કરી હતી.
Trending
- ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian
- Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો
- કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું
- Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા
- Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી
- Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા
- Rajkot: સોની વેપારીએ ઉછીના આપેલા રૂ. 30 લાખનું બુસા બંધુઓએ ચૂનો ચોપડયો
- આજનું રાશિફળ