Jamnagar તા. 17
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સાડા ત્રણ વર્ષ પહેલાં એક રાહદારી ને ટ્રક ચાલકે ચગદી નાખ્યા હતા. જે અંગે મૃતક ના સંબંધી એ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે આરોપીને બે વર્ષ ની સજા નો હુકમ કર્યો છે.
જામનગરના બેડેશ્વર વિસ્તારમાંથી ગતા તા.૬-૧૨-ર૧ ના રોજ હારૂનભાઈ ઈસ્માઈલ ગજણ રસ્તા ઉપર પસાર થતા હતા ત્યારે તેઓ ને ટ્રકે ઠોકરે ચઢાવતા ઘવાયેલા હારૂનભાઈ નું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા હાપામાં રહેતા ટ્રક ડ્રાઈવર રાજેશ બાબુભાઈ દેગામા સામે ગુન્હો નોંધી પોલીસે તેની ધરપકડ કરી હતી. આ.અંગે નો કેસ ચાલી જતાં અદાલતે આરોપી ટ્રક ડ્રાઈવર ને તક્સીરવાન ઠરાવી બે વર્ષ ની સજા અને રૂા. ૧૦ હજાર ના દંડ નો હુકમ કર્યો છે.