Washington,તા.19
ભારત અને પાકિસ્તાન વચ્ચે મે યુદ્ધ વિરામ કરાવ્યુ હતું અને બંને દેશો વચ્ચેનું અણુયુદ્ધ પણ અટકાવ્યુ હતું તેવા વારંવાર દાવા કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે હવે અચાનક જ યુટર્ન લીધો છે અને ભારત-પાકિસ્તાન એ બંનેએ જ પોતે યુદ્ધવિરામ કરવા નિર્ણય લીધો હોય તેવો દાવો કર્યો છે.
ગઈકાલે જ વડાપ્રધાન મોદીએ પ્રમુખ ટ્રમ્પને સ્પષ્ટ જણાવ્યું હતું કે મધ્ય કાશ્મીર મુદે મધ્યસ્થી કે ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાની કોઈ ભૂમિકા ન હતી અને રહેશે જ નહી.
ટ્રમ્પે હવે પ્રથમ વખત કબુલ કર્યુ છે કે બંને દેશોના નેતાઓ અત્યંત સ્માર્ટ છે અને તેઓએ અણુયુદ્ધ ભણી લઈ જઈ શકે તે લડાઈ ખત્મ કરવા નિર્ણય લીધો હતો.
આમ કહીને ટ્રમ્પે પોતાની ભૂમિકા નહી હોવાનો આડકતરો સ્વીકાર કરી લીધો છે. મોદી સરકારની આ મોટી ડિપ્લોમેટીક જીત ગણાય છે અને ભારત અત્યાર સુધી જે વાત કહેતુ હતું તે હવે ટ્રમ્પે સ્વીકારવી પડી છે. પ્રથમ વખત ટ્રમ્પે ઓપરેશન સિંદુર અંગે કોઈ ક્રેડીટ લીધી નથી.